________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પિંડસ્થાદિ ધ્યાન ઃ બીજો યાત્રા પથ આત્મશક્તિ વડે કર્મની ધૂળ ઉડે છે. આ છે વાયવી ધારણા.
યોગશાસ્ત્ર કહે છે : ત્રણ ભુવનના વિસ્તારને પૂરી દેતા, પર્વતોને ચલાયમાન કરતા અને સમુદ્રોને ક્ષોભ પમાડતા વાયુને ચિત્તવવો.
પૂર્વે શરીર તથા કમળને બાળીને જે રાખ કરવામાં આવી છે, તેને આ વાયુથી ઉડાડી નાખી દઢ અભ્યાસ વડે તે વાયુને શાન્ત કરવો. આ છે વાયવી ધારણા.
હવે વારુણી ધારણા.
અમૃત સરખા વરસાદને વરસાવનાર વાદળાંથી ભરપૂર આકાશને ચિત્તવવું.
પછી અર્ધચન્દ્રાકાર કલાબિંદુ સહિત વરુણ બીજ 4 ને સ્મરવું.
તે વરુણ બીજથી ઉત્પન્ન થયેલ પાણી વડે પહેલાં જે ધૂળ ઉડાડી હતી, તેને ધોઈ નાખવી. પછી વર્ષાને શાન્ત કરવી.
પૂ. દેવચન્દ્રજી મહારાજ કહે છે : કરુણા ધારણા ધ્યાવતાં, મેઘ રૂપ તે ધ્યાવે રે; આતમ ધ્યાન સુનીરથી, કર્મમલને નસાવે રે....”
હવે તત્ત્વભૂ ધારણા.
શુદ્ધ બુદ્ધિવાળા સાધકે સાત ધાતુ વિનાના, પૂર્ણ ચન્દ્રની માફક નિર્મળ કાન્તિવાળા અને સર્વજ્ઞ સમાન પોતાના આત્માને ચિન્તવવો.
તે પછી સિંહાસન પર આરૂઢ થયેલ, સર્વ અતિશયોથી સુશોભિત, સર્વ કર્મોનો નાશ કરનારા અને કલ્યાણકારક મહિમાવાળા, પોતાના શરીરની અંદર રહેલા નિરાકાર આત્માને ચિત્તવવો.
૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org