SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ૰ રૂપાતીત ધ્યાન શું કરે સાધક ? સાધકના હૃદયમાં રાગ, દ્વેષ આદિ દોષો પર - અશુદ્ધિ પર જે ક્ષણે લગાવ હટ્યો; કામ શરૂ : નિર્મળતા તરફ જવાનું. કોઈ માણસ ગામડાગામના અંધારિયા ઘરમાં વર્ષોથી રહેતો હોય તો એ સ્થાન એને કોઠે પડી જાય છે. પણ ક્યારેક એના સંબંધીનું શહેરમાં આવેલું મહાલય જોઈને એને પોતાનું ઘર ખૂંચવા માંડે છે. રાગ-દ્વેષની ગાંઠો વિહોણા કોઈ મહાપુરુષનાં ચરણોમાં બેસતા સાધકને પોતાની અશુદ્ધિનું ભાન થાય છે અને એ ડંખે પણ છે. અશુદ્ધિ ડંખવી એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. ડંખવું તે જવાની પ્રક્રિયાનો પ્રારંભ છે. પરમપાવન આચારાંગજીમાં એક સરસ સૂત્ર આવેલ છે : ‘પણ્ડિત્તેહાર્ બાવવતિ, સ બળરેત્તિ પદ્યુમ્નતિ।' ૨/૨/૭૫ વિભાવોનું અને તેમના આધારરૂપ વિકલ્પોનું પ્રતિલેખન કરો, બારીકાઈથી નિરીક્ષણ કરો; તમને એ નહિ ગમે. મુનિત્વની આ મજાની સપાટી છે. દોષો જોયા; ગયા. અત્યાર સુધી ભૂલ એ થતી હતી કે દોષોને પણ મારાપણાના રંગે રંગી નાખવામાં આવતા'તા. ને એટલે જ અન્ય વ્યક્તિત્વમાં રહેલ સહેજ ક્રોધ પણ જેને ખરાબ તરીકે લાગતો, એ જ વ્યક્તિ પોતાનામાં રહેલ ક્રોધના તીવ્ર આવેશને પણ સારાપણામાં ખપાવવાની કોશીશ કરતી. ‘મારો છે ને !' ‘સારું તે મારું નહિ; મારું તે સારું' આ સૂત્ર ખૂલેલું હતું. Jain Education International ૬૮ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy