________________
ધ્યાન અને કાયોત્સર્ગ રૂપાતીત ધ્યાન
જીવન્મુક્ત મહાત્માઓ કેવા હોય છે? તેઓ આત્મભાવમાં સદા જાગરુક હોય છે. બહિર્ભાવમાં સુષુપ્ત તેઓ હોય છે. પરદ્રવ્યમાં ઉદાસીન અને સ્વગુણામૃતમાં લીન.
ના પ્રત્યાત્મિનિ તે નિત્યમ્'. આત્મભાવમાં સદા જાગરુકતા.
સહેજ પણ વિભાવ પોતાને સ્પર્શી ન જાય એની સાવધાની. સ્પશી ગયો તો તેને ઝડપથી દૂર કરવાની વૃત્તિ. “સમાધિ શતક' આવા સાધક માટે કહે છે : “જો ખિનુ ગલિત વિભાવ. જેના વિભાવો ખરી ગયા છે.
'ઉત્તરાધ્યયન સૂત્રનું મૃગાપુત્રીય અધ્યયનમાં મૃગાપુત્ર વિભાવોને છોડી સંયમમાર્ગે ગયા તેની વાત કરતાં કહે છે “રજુય વ પડે ન, નિષ્પત્તિ નિગમો.કપડા પર પડેલી ધૂળને ખંખેરીને કોઈ ચાલી નીકળે તેમ મૃગાપુત્ર વિભાવોને ખંખેરીને ચાલી નીકળ્યા. '
આ માટે આપણી જોઈશે સતત સાવધાની.
ઝેન કથા છે.
એક સાધક એક બાજુ પરિભ્રમણ માટે જવાનો હતો, તેને ગુરુએ કહ્યું કે તું જાય છે એ માર્ગ પર રેલ્વે સ્ટેશનથી નજીક એક ધર્મશાળા છે. એના મુનીમને તું મળજે. એના ક્રિયાકલાપને તું ધ્યાનથી જોજે. - સાધક સાંજે ત્યાં પહોંચ્યો. મુનીમે તેને એક ઓરડી ખોલી આપી. સાધક ઓરડીમાં ગયો અને મુનીમના ક્રિયાકલાપને જુએ છે. મુનીમે આવનાર યાત્રિકોને ઓરડી આપી. પછી રસોઈ બનાવીને ભોજન કર્યું. તપેલી, થાળી ધોઈ કબાટમાં મૂક્યા અને સૂઈ ગયો.
સવારે સાધક વહેલો ઊઠ્યો. મુનીમ પછી જાગ્યા. સાધકને હતું કે સવારમાં મુનીમની કંઈક સાધના જોવા મળશે. પણ પ્રાતઃકૃત્ય કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org