________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ રૂપાતીત ધ્યાન
જેમાં કોઈપણ રૂપ કે આકાર નથી, જે આઠ ગુણોથી યુક્ત છે એવા શિવપદનું ધ્યાન કરતાં ધ્યાતા મોક્ષસુખની ઝાંખી જ્યાં મેળવે છે, તે છે રૂપાતીત ધ્યાન.
‘રૂપ રેખ જાયેં નવ કોઈ.' પ્રભુના રૂપ કે આકાર આદિ કોઈ તત્ત્વનું આલંબન જે ધ્યાનમાં નથી એ છે રૂપાતીત ધ્યાન.
જવું છે સ્વરૂપમાં. પણ એ માટે પ્રભુના રૂપાદિનો પણ આશ્રય નથી લેવાનો.
વારંવારના આલમ્બનના અભ્યાસ પછી આ ધ્યાન આવે છે. જ્યાં સાધક બેસે છે અને ક્ષમા આદિ સ્વગુણની ધારામાં જ તે વહી જાય છે. રૂપાતીત ધ્યાન. અનાલમ્બન ધ્યાન.
મુક્તિનો અત્યારના આપણા સ્તર પર અનુવાદ એટલે જીવન્મુક્તિ. સશરીર મુક્તિ.
પૂ. ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં કહે છે : ‘દૈવ મોક્ષઃ સુવિદિતાનામ્'. પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલનારા સાધકોને અહીં જ મોક્ષ છે. પંચવિંશતિકા પ્રકરણમાં ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કહે છેઃ 'श्रामण्ये वर्षपर्यायात् प्राप्ते परमशुक्लताम्;
નીવન્મુક્તા મહાત્માનો, ગાયત્તે વિતસ્પૃહાઃ ।।'
(પ્રશમરતિમાં : વિનિવૃત્તપરાશાનામ્)
દીક્ષાનો પર્યાય એક વર્ષનો થતાં ભીતરનો ભાવ પરમ શુદ્ધ થતાં મુનિવરો જીવન્મુક્ત બને છે. જો કે, આ દીક્ષાનો નિશ્ચય પર્યાય લેવાનો છે. સામાયિકની ધારામાં વહી આવેલ સમય.
Jain Education International
દા
For Personal & Private Use Only
www.jainelibrary.org