________________
ધ્યાન અને કાયોત્સર્ગ રૂપાતીત ધ્યાન મહાત્માઓને મુખ્ય અનાલંબન તરફ લઈ જનારું અનાલમ્બન હોય છે. અને ત્યાં અનાલંબન ધ્યાનને શુક્લધ્યાનના અંશ રૂપે વર્ણવાયું છે. એટલે કે સાતમે ગુણઠાણે રહેલ જિનકલ્પિક મુનિવરોને અનાલંબન હોય છે તેમ કહેવાયું.
ગુપ્તિની બે ધારાઓ છે : શુભની અને શુદ્ધની.
મન, વચન, કાયાના યોગોને શુભમાં પ્રવર્તાવવા - અહોભાવ આદિમાંતે ગુપ્તિની શુભ ધારા. અને મન, વચન, કાયાના યોગોને શુદ્ધમાં સ્વગુણની ધારામાં - પ્રવર્તાવવા તે ગુમિની શુદ્ધમયી ધારા. આ પાછળની ધારા અંગે પૂ. દેવચન્દ્રજી મહારાજે તેમની અષ્ટપ્રવચનમાતાની સઝાયમાં વિસ્તારથી લખ્યું છે.
તો, ગુપ્તિની શુભમથી ધારા તે આલમ્બન યોગ અને ગુપ્તિની શુદ્ધમયી ધારા તે અનાલમ્બન યોગની નાનકડી આવૃત્તિ. અને અનાલમ્બન યોગ તે શુક્લધ્યાનનો અંશ.
ગુપ્તિની શુદ્ધધારા નિજગુણમાં રહેવાની ધારા છે. આવી જ નિજગુણની ધારામાં રહેવાની સાધના તે રૂપાતીત ધ્યાન.
રૂપાતીત ધ્યાનનું સ્વરૂપ પૂ. ચિદાનંદજી મહારાજે આ રીતે વર્ણવ્યું છેઃ રૂપ રેખ જામેં નવિ કોઈ,
અષ્ટગુણાં કરી શિવપદ સોઈ; તાકું ધ્યાવત તિહાં શમાવે,
રૂપાતીત ધ્યાન સો પાવે... // ૯૬/l.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org