SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - રૂપાતીત ધ્યાન સંસાર નામ-રૂપમય છે. પચ્ચીશી સુધી રૂપનો જાદૂ માણસ પર સવાર હોય છે. અને પછી, વૃદ્ધાવસ્થાની નજીક સરે ત્યારે તે નામનો સહારો લે છે. મારું કુટુંબ, મારી પેઢી, મારું ઘર.... એ નામ-રૂપ લઈને આપણે અગણિત જન્મોમાં ડૂબેલા; પ્રભુના નામ અને રૂપને લઈને હવે તરી જવું છે. બે ધ્યાન આપણે ત્યાં છે : આલમ્બન ધ્યાન, અનાલમ્બન ધ્યાન. પ્રભુના રૂપનું પ્રભુના નામનું પ્રભુના વચનનું આલમ્બન લઈને મળતી ચિત્તની એકાગ્રદશા તે આલમ્બન ધ્યાન. પરંતુ, જ્યારે આલમ્બન ખૂબ ઘુંટાઈ જાય, કહો કે રગ-રગમાં પરિણત થઈ જાય ત્યારે અનાલમ્બન ધ્યાન આવે છે. અનાલમ્બન ધ્યાન એટલે ઈષ આલમ્બન ધ્યાન. અહીં પ્રભુના ગુણોનું આલમ્બન લઈને સ્વગુણની ધારામાં પોતાની ચેતનાને સાધક પ્રવાહિત કરે છે અથવા તો પૂર્વાભાસને કારણે સીધો જ સ્વગુણની ધારામાં સાધક વહે છે. યોગવિંશિકા ની ટીકામાં મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નૈઋયિકરૂપના આત્મસ્વરૂપમાં ડૂબવાની વિધિને અનાલમ્બન કહે છે. ઔપાધિક રૂપને-કર્મથી યુક્ત કે રાગદ્વેષથી યુક્ત આત્મ સ્વરૂપને અહીં જોવાનું નથી. આ અનાલમ્બન યોગ કોને હોય? શ્રેણિમાં સ્થિત થયેલા સાધકને અનાલમ્બન હોય છે. તો શું આપણને એની ઝલકે ન મળે ? ત્યાં કહેવાયું છે કે માત્ર સ્વમાં ડૂબેલા (વિન્માત્રપ્રતિવદ્ધાનામું) અને સંપૂર્ણ વિકલ્પોથી પર ઊઠેલા (૩૫રતવિકલ્પોનાના) જિનકલ્પિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy