________________
ધ્યાન અને કાયોત્સર્ગ - રૂપાતીત ધ્યાન
- એક મોટા ગુરુ પાસે એક મહિનાનો સમય કાઢી, ગુરુની પૂર્વ મંજુરી લઈને તેઓ ગયાં. કયો ગ્રન્થ વંચાવવો તે ગુરુએ નક્કી કરવાનું હતું. ' ગુરુએ નમસ્કારભાવ પરનો સરસ ગ્રન્થ વંચાવ્યો. વાચના એક કલાક ચાલતી. પણ એમાં ગુરુ કઈ રીતે ઝૂકવું કઈ રીતે ખાલી થવું એની હૃદયસ્પર્શી વાતો કરતા.
અને, પ્રાયોગિક વિધિ તરીકે વજનને વ્યવસ્થિત કરાવતા. આગળનો પાઠ પ્રાયોગિકનો એ આવ્યો કે દરરોજ બધા ભિક્ષુઓને પગે લાગો! એ પછીનો ક્રમ તો ખરેખર સરસ હતો. આશ્રમના કેમ્પસમાં રહેતા નોકરો, રસોઈયા આદિને પગે લાગવાનું કહ્યું. એ પછીના ક્રમમાં આશ્રમના મેદાનમાં આવતા વૃક્ષોને ઝૂકવાનું આવ્યું.
આ પ્રાયોગિક વિધિ અને ગુરુના ઉપદેશથી ઝૂકવાનું ખરેખર ઘટિત થયું.
મહિના પછી એ પ્રોફેસર યુનિવર્સિટીમાં પાછા ફર્યા અને સાથીદારોએ પૂછયું કે કયો ગ્રન્થ ગુરુ પાસે શીખી આવ્યા? પ્રોફેસર કહે છે કે માત્ર ગુરુ પાસે ગ્રન્થ વાંચીને નથી આવી, ગુરુએ ગ્રન્થને હૃદયસ્પર્શી બનાવી દીધો.
ઉપધાન તપની વિધિની આપણી પરંપરામાં પણ પહેલાં અઢારિયામાં નમસ્કાર મહામંત્રની આરાધનામાં મૂકવાની વિધિ ઘટિત થાય છે.
આપણા યુગના સાધનામનીષી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ કહેતા કે નમસ્કાર મહામંત્રના પદોમાં “નમો જ મહત્ત્વનું. ઝૂકવાનું ઘટિત થાય. અહમ્ વિલીન થાય.
પ્રભુના રૂપના અવલમ્બનથી કે નામ સ્મરણના અવલમ્બનથી ભક્ત નામ-રૂપમય સંસારને પેલે પાર પહોંચી શકે છે.
૬૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org