________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પિંડસ્થ ધ્યાન
રૂપસ્થ ધ્યાનમાં નિજ ગુણની આંશિક સ્પર્શના છે. પદસ્થ ધ્યાનમાં પ્રભુ ગુણોનું પ્રતિબિમ્બન છે. જ્યારે પિંડસ્થ ધ્યાનમાં ગુણોની સમૃદ્ધિ સોળે કળાએ ખીલી ઊઠે છે.
જ્ઞાનસાર પ્રકરણે આવા સાધકની ભીતરી દશાને બહારી દશા સાથે જોડતાં કહ્યું :
ज्योतिर्मयीव दीपस्य, क्रिया सर्वापि चिन्मयी; यस्यानन्य-स्वभावस्य तस्य मौनमनुत्तरम् ॥ १३-८॥
મઝાની અભિવ્યક્તિ આવી... દીપની જ્યોતનું ઊંચે ઊઠવું કે તિરછા જવું તે બધું જ મનોહર છે. તેમ આવા સાધકની બધી જ ક્રિયાઓ ચિન્મયી બની રહે. તેનું ઊઠવું, બેસવું, ચાલવું બધું જ સાધનામય બની રહે. તેની ભીતરી દશાનું આ બધું પરિચાયક છે.
એક સમ્રાટે એક ગુરુને પૂછેલું પહોંચેલા સાધકને શી રીતે પહેચાની શકાય ? ગુરુએ કહેલું કે તેની કોઈ પણ ક્રિયાને જુઓ. તમને તેની મીતરી દશાનો ખ્યાલ આવશે.
અહંચેતના શી રીતે ચાલે છે, તે તો આપણા ખ્યાલમાં છે. એ એવી પકડાઈથી ચાલે છે કે બધા એને જુએ. અને એના સિવાય બીજાનું જાણે અસ્તિત્વ ન હોય.. સાધકચેતના બધાનો ખ્યાલ રાખીને, બધાનો આદર કરીને ચાલે છે. આવા સાધકોનાં ચરણોમાં વંદન.
પ૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org