SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ – પિંડસ્થ ધ્યાન સત્સંગ ઘણા બધા સમીકરણોને બદલી કાઢે છે. મકરન્દ દવે એક યોગીને મળ્યા. પૂછ્યું : તમારી ઉંમર કેટલી ? યોગી કહે : ‘તુમ્હારી સો સાલ, હમારી એક.' સમયનું સમીકરણ જ બદલાઈ ગયું ને ! થોમસ જે. એબરક્રોમ્બીને મળેલ એક સૂફી સંત સફર એફેન્ડીએ કહેલું : “સમય શું સત્ય છે ? કે એક ભ્રમણામાત્ર છે, .? સમયહીન વિશ્વમાં પોતાની પ્રગતિ માપવા મનુષ્ય તેને ઉપજાવી તો નથી કાઢ્યો ને ? મનુષ્યની આંતરિક ચેતનામાં સમય એક જુદું જ સ્વરૂપ ધારણ કરે છે. તે નદીની જેમ વહેતો નથી પણ સરોવરની જેમ શાંત હોય છે. દાખલા તરીકે સ્વપ્નમાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય એક સાથે છૂટથી મળી જતા હોય છે. એ તરફ તમારું ધ્યાન ગયું છે ?”’ અન્તર્મુખદશા. સ્વભાવરુચિ થયો સાધક. આ પછીનું ચરણ છે અન્તઃપ્રવેશ. સ્વભાવ-યાત્રાનો પ્રારંભ. સદ્ગુરુ ‘કરેમિ ભંતે' સૂત્ર આપે અને સાધકને સમભાવની ધારામાં પ્રવેશ કરાવે. ત્રીજું ચરણ અન્તર્લીન દશાનું. સાધક ભીતર ઓગળી ગયો. પોતાના ગુણોની ધારામાં ઊંડે સુધી પહોંચી ગયો. ‘સકતિ વિચારી શાન્તતા પામે.' આત્મગુણ સાક્ષાત્કાર. અને એ કારણે મળતો અસીમ આનંદ. પરની પીડાકર દુનિયામાં જવાનું હવે ક્યાં રહ્યું? તે પિંડસ્થ ધ્યાન કહેવાવે.' આ છે પિંડસ્થ ધ્યાન. પિંડ - શરીરમાં રહેલ જ્યોતિર્મયતાનું દર્શન. રૂપસ્થ ધ્યાન અને પિંડસ્થ ધ્યાનમાં શો ફરક પડ્યો ? ૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy