________________
ધ્યાન અને કાયોત્સર્ગ જ પિંડસ્થ ધ્યાન
હું નાનપણમાં એક ગામમાં ચાતુર્માસ હતો. એક બાઈને જોયેલી. જે દુકાનોના ઓટા પર પડી રહેતી. એક ટબલર એ રાખતી અને હોટેલોવાળા પાસેથી ચા તેમાં લેતી અને પીતી. કોઈ બીજું કંઈક ખાવાનું આપે તો ય ન લે. માત્ર ચા.
પાછળથી એક યોગીએ એ બાઈ માટે કહેલું કે એ પરમહંસ હતી.
સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે.” સાધક પાસે બે જ ખાનાં હોવાં જોઈએ. એક સ્વનું ખાનું. બીજું પરનું ખાનું.
સ્વ તરફ ગતિ કરાવનાર તત્ત્વ છે તો આદર. પર તરફ લઈ જનાર તત્ત્વ હોય તો ઉદાસીનભાવ.
સકતિ વિચારી શાન્તતા પામે.” સ્વની અને પરની પરિણતિ ભિન્ન થયા પછી સ્વની અનન્ત શક્તિ જોઈને તે શાન્ત બને છે.
સ્વનો પરિચય. સ્વનું ઊંડાણ.
આ માટે ત્રણ ચરણો છે : અન્તર્મુખદશા, અન્તઃપ્રવેશ અને અન્તર્લનદશા. . .
પહેલું ચરણ : અન્તર્મુખદશા. અત્યાર સુધી બહિર્મુખ - વિભાવો તરફ જ મુખ રાખનાર સાધક પોતાના સ્વરૂપ તરફ ડોકિયું કરે છે.
મહાપુરુષોનું દર્શન, તેમની જોડે વિતાવેલી થોડીક ક્ષણો; અને તેમનો આન્તર વૈભવ નીહાળી મન એ દિશા તરફ જવા લલચાય છે.
૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org