________________
ધ્યાન અને કાયોત્સર્ગ પિંડસ્થ ધ્યાન
પ્રવેશી શકું ? અને ગુરુદેવ ! હું ખાલી થઈને આવું છું વિભાવોથી, તો ગુરુદેવ ! તમારા તેજઃપ્રભાવથી મને ભરી દેશો ને ? (ઈચ્છામિ ખમાસમણો વંદિઉં... અણુજાણહ મે મિઉગ્ગહં.. નિસ્સીહિ..)
સ્થૂલિભદ્ર મુનિ કોશાને ઘરે હતા એ બહાર ખૂલતી ઘટના હતી. તેઓ ગુરુચરણોમાં હતા એ ભીતરી જગતની ઘટના હતી.
સદ્ગુરુને એક ક્ષણ આપી સ્થૂલિભદ્ર મુનિએ : વિભાવ શૂન્યતાની. અને સદ્ગુરુએ શક્તિપાત કરી દીધો...
*
બ્રહ્મરન્દ્ર પર ગુરુનો વરદ હસ્ત મુકાવો અને દિવ્ય શક્તિની અનુભૂતિ
થવી.
માથા પર, ચોટલીની જગ્યા જે હતી, ત્યાં છે બ્રહ્મરન્ધ. બહુ મઝાનો એ શબ્દનો અર્થ છે ઃ બ્રહ્મ એટલે પરમાત્મા. અને રન્ત્ર એટલે કાણું, પ્રવેશ દ્વાર. પરમ ચેતનાનો સંચાર, અસ્તિત્વમાં જે દ્વાર વડે થાય તે બ્રહ્મરા.
સદ્ગુરુ વરદ હસ્ત ત્યાં મૂકે છે અને એમના અસ્તિત્વમાંથી ઊઠતી દિવ્ય શક્તિ, બ્રહ્મરન્ધ વાટે, અસ્તિત્વમાં ઊતરે છે.
ઘણી રીતો શક્તિપાતની છે. ક્યારેક સદ્ગુરુ શિષ્યની આંખોમાં આંખો મિલાવીને શક્તિપાત કરે છે. આનો સશક્ત ઈશારો પૂજ્ય આનંદઘનજી મહારાજે પરમતારક શ્રીધર્મનાથ પ્રભુના સ્તવનમાં આપ્યો છે :
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે,
દેખે પરમ નિધાન;
હૃદય નયણ નીહાળે જગધણી, મહિમા મેરુ સમાન....
Jain Education International
૫૧
For Personal & Private Use Only
www.jainelibrary.org