SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - પદસ્થ ધ્યાન ચૈત્યવદના કર્યા પછી બંધ આંખે એક ધારણા કરવી છે. પ્રભુનું પૂર્ણ અસ્તિત્વ પ્રશમરસથી ભરેલું છે. એ પ્રશમરસ પ્રભુના દેહમાંથી નીકળી મારા ભણી આવી રહ્યો છે. હું એ પ્રશમરસને ધીરે ધીરે ઝીલી રહ્યો છું. બ્રહ્મરન્દ્રમાંથી એ રસ પ્રવેશી રહ્યો છે અને ધીરે ધીરે એ પૂરા અસ્તિત્વને તરબતર કરી રહેલ છે. ધારણા સઘન બનશે અને પ્રશમરસની અનુભૂતિ થશે. આ પ્રભુનો પ્રસાદ. આ ધ્યાન. સાધક આ ક્ષણો પછી, દહેરાસરથી ઘરે જશે તો પણ તે પ્રથમ રસની જ ઘેરી અસરમાં હશે. આ થયું પદસ્થ ધ્યાન. ‘ગુણ વિચાર નિજ ગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે.”. પ્રભુના પ્રશમ ગુણનું પ્રતિબિમ્બન ભક્તના હૃદયમાં પડ્યું. પૂ. ચિદાનંદજી મહારાજની અભિવ્યક્તિ કેવી તો હૃદયંગમ છે! ધ્યાન પદસ્થ સુંગુરુ ઈમ કહે.” આ પદસ્થ ધ્યાન છે એમ સદ્ગુરુ કહે છે. હું કહુ છું એમ નહિ; સદ્ગુરુવર કહે છે. સદ્ગુરુઓની પરંપરા આમ કહે છે. યોગોહનની પ્રક્રિયામાં સદ્ગનું એક સરસ વચન છે : “ખમાસમણાણે હત્યેણે....” સૂત્રની અનુજ્ઞા શિષ્યને આપતાં સદ્ગુરુ કહે છે : ક્ષમાશ્રમણોના, મહા મુનિઓનો વરદ હસ્તથી આ સૂત્ર તને આપું છું. ‘ગુણ વિચાર નિજ ગુણ જે લહે..” પ્રભુના ગુણોનું પ્રતિબિમ્બન પોતાના હૃદયમાં. મઝાનું પદસ્થ ધ્યાન. * ૪૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy