________________
ધ્યાન અને કાયોત્સર્ગ પદસ્થ ધ્યાન
લેવાય તે બતાવ્યું હતું. ગુર્જિએફ મારી સાથે વીસ વરસ રહેલો. હા જી, વીસ વરસ! ઓર્ગુર્રમ ગામમાં પાંચ મહિના અને બાકીનાં વરસો દરમિયાન એ જ્યાં જ્યાં રહ્યો અને પોતાના શ્વાસ વાપરતાં શીખતો ગયો ત્યાં-ત્યાંથી મારા સંપર્કમાં રહેતો હતો.
તમારો જાણે જન્મ સિદ્ધ અધિકાર હોય .તેમ તમે પ્રબુદ્ધત્વ માટે દાવો કરો છો. ના, દોસ્ત, ના. પ્રબુદ્ધત્વ તો કમાઈ જ લેવું પડે છે. સમર્પણ, જહેમત અને શિસ્ત પાલન વડે કમાઈ જ લેવું પડે છે. આ • જે શરીર છે ને, તેને પકવતાં એક સો વરસ જેટલી સફર કરવી પડે છે. વાસ્તવિકતાની ભઠ્ઠીમાં હાડકાના માવાનો કણેકણ શેકાઈને પાકી જાય નહીં ત્યાં સુધી તલાશગી૨ સાચો સૂફી બનવા પામતો નથી.’’
શ્વાસનો ઘોડો. પણ અસવાર કેવો જોઈએ? એની વાત આગળ કરે છે. એ અગાઉ લગામ અને ચાબૂકની વાત કરે છે : ‘લૈ લગામ ચિત્ત ચબકા..' લય રૂપ લગામ. ચિત્ત રૂપ ચાબૂક.
:
ચિત્ત એટલે ચિત્તથૈર્ય, ચંચળતાને કારણે ઘોડો આડો અવળો થાય કે તરત ચિત્તથૈર્ય રૂપી ચાબૂકનો ઉપયોગ કરવાનો.
પહેલાં આવશે ચિત્તથૈર્ય. પછી આવશે લય. લય એટલે ચિત્તની સમરસતા. પ્રશાન્તવાહિતાને કારણે આવેલી ભીતરી સમરસતા. આત્મગુણોની એકાકારતા.
આ લય તે છે લગામ.
ચિત્તથૈર્યનો અર્થ ધ્યાન લઈએ તો લય એટલે થાય સમાધિ.
સમાધિ : ભીતર ઓગળી જવું. રામકૃષ્ણ પરમહંસ કહેતા : મીઠાની પૂતળી દરિયાનું માપ લેવા દરિયામાં ગઈ. હવે બહાર કોણ આવશે ?
‘ચેનિ અસવાર.’ શ્વાસના ઘોડા પર ધ્યાનની ચાબૂક અને સમાધિની લગામ લઈ સવાર કોણ થશે ? ચૈતન્ય રૂપી અસવાર.
૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org