________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પદસ્થ ધ્યાન
“મારા દોસ્ત, આટલું સમજી લો.” શેખે કહ્યું. “હું મારા ફિરકાનો મુરશીદ છું. તમારી કલ્પનાઓને ઉત્તેજિત કરનારો કે ભાવુક લોકો માટે આગાહીઓ કરનાર હું નથી. દુનિયાના ખૂણેખાંચરે રહેલા જુરઝીજાદાના મુરશીદોની તલાશમાં તમે નીકળ્યા છો; તેમાંનો એક તો અહીં બેઠો છે. તેમ છતાં મારી આગળ તમારા મનમાં ઊભરાતા સવાલો ઠાલવી દેવાથી તમને કશો ફાયદો નહિ થાય. ગુર્જિએફને મેં શ્વાસ લેતાં શીખવેલું... તમારા મનમાં વળી થાય કે હું તમને શીખવું કે નહીં તો મારો જવાબ છે : ના. શીખવી શકું ખરો. પણ નહીં શીખવું.”
શું હું પૂછી શકું, શેખસાહેબ, કે માત્ર શ્વાસ લેવાનું જ શા માટે?”
માત્ર! માત્ર? કેવો વાહિયાત સવાલ ! શું તમને એમ લાગે છે કે સાચી રીતે શ્વાસ લેવાનું આસાન છે ? તમારું જીવન ટકાવી રાખવા તમારા મગજને જરૂરી પ્રાણવાયુ પૂરો પાડવા ઉપરાંતનું બીજું કશું તમારા ખા છીછરા શ્વાસ-ઉચ્છવાસ કરે છે ખરા ? યોગ્ય શ્વાસોચ્છવાસની એક કામગીરી એ છે કે ઊંડે રહેલી ચેતનાના અન્તિમ બિન્દુ સુધી ઓજસ પહોંચાડવું. અણવિકસિત માણસો પોતાના વિચારો અને અણઘડ કાર્યો દ્વારા પોતાની ચેતનાને બદલવા મથે છે. પણ વિચાર કે કાર્યની યોગ્ય માત્રા, દિશા અને તીવ્રતા તેઓ જાણતા નથી. એટલે કશું બનતું નથી.”
લ્યો, બોલ્યા, માત્ર શ્વાસ લેવાનું ! તમને ખ્યાલ છે ખરો કે પહેલ હેલો સાચ્ચો શ્વાસ લેવાનું શીખવાડી શકાય તે પહેલાં કેટલો સમય લાગતો હોય છે ? મહિનાઓ, અરે! વરસો વીતી જાય. અને એ પછીય તમે કયું નિશાન તાકો છો એ જાણો ત્યારે જ એ બને.”
ગુર્જિએફ શ્વાસ લેવાની નિજી તાકાત લઈને મારી પાસે આવ્યો હતો. તેને તેના પોતાના શરીર, મન તથા સમગ્ર અસ્તિત્વથી શ્વાસ કેવી રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org