SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ♦ પદસ્થ ધ્યાન સાધકના મન-વચન-કાયાના યોગો પ્રવર્તિત થશે માત્ર સંયમના કારણે. વિકલ્પ આવ્યો. તરત સાધક પ્રશ્ન કરશે : શું આ વિચાર સાધના માટે જરૂરી છે ? જવાબ ‘ના'માં મળશે તો તરત જ એ વિચા૨ થંભી જશે. સાધ્ય નક્કી છે : પ્રભુની આજ્ઞા પ્રમાણે જ યોગો - મન, વચન, કાયાના - વર્તવા જોઈએ. વિચાર પ્રભુની આજ્ઞા અનુસારે. બોલવાનું પ્રભુની આજ્ઞા પ્રમાણે. કાર્યકલાપ પ્રભુની આજ્ઞા પ્રમાણે. સાધના દ્વારા સાધક જેમ વધુને વધુ આત્મસ્થ બનતો જાય છે તેમ તેમ મન, વચન, કાયાના યોગોનો વપરાશ બહુ ઓછો થાય છે. ગુપ્તિ વધુ છે અહીં. શાસ્ત્રો ગુપ્તિને ઉત્સર્ગ કહે છે. સમિતિને અપવાદ. મનને પેલે પાર સાધક ગયો, તો એ સાધનાની ઊંચાઈની પ્રાકૃતિક અવસ્થા. પણ જો વિચાર આવે તો પ્રભુઆજ્ઞાને સમ્મત જ તે હોય. ‘અન્ને થાયે નિજ સ્વરૂપમાં લીન જો.' આ નિજ સ્વરૂપ એટલે ગુપ્તિ. હવે આવે છે વચન ગુપ્તિ. બોલવાની ઇચ્છા જ થતી નથી. પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ વચન ગુપ્તિની સજ્ઝાયમાં કહે છે કે ભાષાવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરવા, તેને આત્મસાત્ કરવા અને છોડવા; આ થઈ બોલવા માટેની પ્રક્રિયા; તો સાધક આવી પૌદ્ગલિક પ્રવૃત્તિમાં - આવી કડાકૂટમાં શા માટે પડે ? જ્ઞાનસાર યાદ આવે : ‘પુાતેષ્વપ્રવૃત્તિસ્તુ, યોગાનાં મૌનમુત્તમમ્.' મહિર્ભાવમાં ન જવું તે જ યોગીઓનું મૌન. Jain Education International ૩૯ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy