________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પદસ્થ ધ્યાન વિકલ્પો આવી રહ્યા છે. એમને દૂર કરવા માટે આ પ્રાયોગિક ઉપાય છે:
કાંટાથી કાંટો નીકળે તેમ વિકલ્પોથી વિકલ્પો નીકળે. વિકલ્પોથી જે વિકલ્પોને વિષે વિચારી શકાય : શો અર્થ આ વિકલ્પોનો ?
ઘણીવાર આવું બનતું હોય છે : એક વ્યક્તિ ખૂબ ઊંડા વિચારમાં ગરકાવ થયેલી હોય. પૂછીએ તો જવાબ પણ આપી શકે તેમ ન હોય. બે દિવસ પછી એ વ્યક્તિને પૂછીએ કે તે દિવસે કયા વિચારમાં ડૂબી ગયેલ હતા? ત્યારે એમ વિચારમાં પડે છે : કયો વિચાર હતો ?
બે દિવસમાં જેની નોંધ પણ ભૂલી જવાય છે, એ વિચાર આપણને આટલી હદે હેરાન-પરેશાન કરી મૂકે છે.
અહીં આ વિચારબિન્દુ ઉપસે કે આવા વિકલ્પનો શો અર્થ ? વિકલ્પો પ્રત્યેની તીવ્ર અનાસ્થા અહીં કેન્દ્રમાં છે. ”
આ અનાસ્થાને કારણે વિકલ્પો સાથે તાદાભ્ય-સાંઠગાંઠ નથી થતી. વિચારો આવ્યા ગયા. એ ભીતર જડાઈ ન ગયા.
વિચારો છે ચિત્તાકાશમાં. સાધક છે ચિદાકાશમાં વિચારના વાદળો આકાશમાં આવ્યા ને વિખરાયા. સાધક એમની સાથે સંબંધ બનાવતો નથી.
ક્ષીણવૃત્તિતા. ક્ષીણ-યોગતા. વિકલ્પો ધીરે ધીરે ઓછા થતા જાય. અપૂર્વ અવસર' પદની આ પંક્તિ યાદ આવે : સંયમના હેતુથી યોગpવના, સ્વરૂપ લક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, . અન્ને થાયે નિજ સ્વરૂપમાં લીન જો...' ૫
૩૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org