________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પદસ્થ ધ્યાન
પૂજ્યપાદ જ્ઞાનવિમલસૂરિમહારાજની એક સ્તવના-પંક્તિ યાદ આવે છે : ‘જિણ પરે દેશના દેયતાં એ, સમરું મનમાં તેહ, પ્રભો ! તુમ દરિસને એ.' પ્રભુ ! તારું દર્શન કરું છું. અને તે ક્ષણે સમવસરણમાં દેશના આપતાં આપને હું જોઈ શકું છું.
પદસ્થ ધ્યાનની પૂજ્ય ચિદાનન્દજી મહારાજે આપેલ વિભાવનાને, આ સન્દર્ભમાં જોઈએ :
તીર્થંકર પદવી પરધાન, ગુણ અનન્ત કો જાણી થાન;
ગુણ વિચાર નિજગુણ જે લહે,
ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે...' ॥૯૪॥
તીર્થંકર પદ. વિશ્વનું શ્રેષ્ઠ પદ. અનન્ત ગુણોનું તે ધામ છે.
એ ગુણોનું પ્રતિબિમ્બન સાધકની ચેતનામાં પડે તે પદસ્થ ધ્યાન. નિર્મળ ચેતનામાં જ પ્રતિબિમ્બન પડે.
જ્ઞાનસાર પ્રકરણમાં સમાપત્તિ ધ્યાન અંગે જે કહેવાયું છે તે અહીં નોંધવા જેવું છે :
मणाविव प्रतिच्छाया, समापत्तिः परात्मनः ।
ક્ષીળવૃત્તૌ ભવેત્ ધ્યાના-વન્તરાત્મનિ નિર્મલે ।। ૐ૦-રૂ।।
વૃત્તિઓ— વિકલ્પોનું ક્ષીણ થવું અને નિર્મળ અન્તરાત્મ દશા હોવી. આ બે પર અહીં ભાર મૂકાયો છે. અને નિર્મળ અન્તરાત્મદશામાં સાધક હોય છે ત્યારે તેના ચિત્તમાં પરમાત્માના ગુણોનું પ્રતિબિમ્બન પડે છે.
ક્ષીણવૃત્તિતા અને નિર્મળ અન્તરાત્મદશા માટે શું કરવું જોઈએ ?
39
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org