________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પદસ્થ ધ્યાન
મારા આતમને માર્ગ ચીંધ એ જ માગું છું, તારું હૈયું મને ઓળખી લે એ જ માગું છું;
તારી બાંહો જો પસાર, એમાં હું સમાઈ જાઉં.' તમને નિહાળવાની એ ક્ષણો... આંખો ચૂયાં કરે. વરસ્યા કરે. અને બાષ્પથી ધુંધળાયેલ એ નેણો વડે તમને જોવાનું સુખ મળે. દર્શન અને અદર્શનની તેજ-છાયાની રમત ચાલ્યા કરે. .
પણ, એક મીઠી મૂંઝવણ એ ક્ષણોમાં થઈ રહે. આંખો પ્રભુના અપરૂપ રૂપને નીહાળવા તલપાપડ છે ત્યારે કાનને પ્રભુની મીઠ્ઠી મીઠ્ઠી વાણી સાંભળવી છે.
એક પણ ઇન્દ્રિયના વિષયને ઊંડાણથી માણવો હોય ત્યારે એકમાં જ ડૂબવું પડે છે. એમાં સાથે ઉપયોગ ન રહી શકે.
આંખોને પ્રભુના રૂપને જોવું છે. “કોટિ દેવ મિલકે કર ન સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછન્દ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, માનું બરસત અમૃત કે બુંદ. કરોડો દેવો પોતાના રૂપના જથ્થાને એકઠો કરે તોય તે પ્રભુના ચરણના અંગુઠાના રૂપ જેટલુંય તે રૂપ થઈ શકતું નથી. આવા અમૃતવર્ષણ રૂપને જોવા માટે લાલાયિત નેત્રો અને પ્રભુની અમૃત વાણી સાંભળવા ઉત્સુક કર્ણપટલ. બન્ને વચ્ચે થઈ ચડસાચડસી.
વિજય કોનો થયો?
આંખોનો. પ્રભુનું રૂપ જોવાયા કર્યું. કહો કે પીવાયા કર્યું. શબ્દો કદાચ ન સંભળાયા.
અત્યારે પ્રભુના રૂપને જોતી વખતે એ સમવસરણીય ક્ષણોનું અનુસંધાન થઈ રહે છે. અને પ્રવચન સાંભળતી વખતે તે ક્ષણોમાં છૂટી ગયેલા પવિત્ર શબ્દોનું અનુસંધાન ચાલ્યા કરે છે.
૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org