________________
ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન
સ્વરૂપ નીહારી, તાકી સંગત મનસા ધારી..” દ્રષ્ટાભાવ જ જો મનના સ્તર પર આવી જાય તો ક્રોધ રહેશે ક્યાં ? અહીં સાધક, દર્શન રૂપ પોતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે. “નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર હોય..”
દ્રષ્ટાભાવ રૂપ સ્વગુણની આંશિક ઝલક મળી. આ થયું રૂપસ્થ ધ્યાન.
એકાગ્રતાને પણ ધ્યાન કહેવાયું છે. સ્વગુણસ્થિતિ પણ ધ્યાન છે. અહીં પોતાના ગુણમાં રહેવાનું થયું એ સન્દર્ભમાં ધ્યાન થયું.
ચેતના ઉદયથી પ્રભાવિત બની શકે તેમ હતું એ ક્ષણે પણ નિજ ગુણમાં જવાનું થયું અને એમાં રહેવાનું થયું.
પછી એ ધારા ચાલશે. કારણ કે સ્વભાવનો આનદ મેળવ્યા પછી પરમાં, વિભાવમાં જવું અઘરું બની રહે.
એક સદ્ગુરુએ સાધકને કહેલું કે જો તું ત્રીશ મિનીટ સ્વભાવની ધારામાં રહે તો તે વિભાવમાં નહિ જઈ શકે
સાધકને ભીતરી ધારાનો અનુભવ હતો. એણે કહ્યું : ગુરુદેવ ! ઘણીવાર હું સ્વગુણની ધારામાં કલાક - બે કલાક પણ રહ્યો છું. પરન્તુ નિમિત્તો મળતાં, ઊંધા મોંએ વિભાવોમાં પટકાયો પણ છું.
સદ્ગુરુએ એ વખતે જે કહ્યું તે દરેક ધ્યાતાએ યાદ રાખવા જેવું છે. સદ્ગુરુ કહે છે તું જેને સ્વગુણની ધારા માનતો હતો, તે પૂરી સ્વગુણની ધારા ન હતી. વિકલ્પોની પૃષ્ઠભૂ પર એ બધું ચાલતું હતું. બની શકે કે ૬૦ ટકા સ્વગુણધારા હોય અને ૪૦ પ્રતિશત વિકલ્પો હોય. આથી તને હળવાશ લાગી અને એ પરિસ્થિતિને તે સ્વગુણધારા તરીકે સ્વીકારી
૩૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org