SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન મ નથી. અને ત્યારે ગોપી પ્રભુને ફરિયાદ કરે છે તમે આવો ઘડો કેમ આપ્યો, જે ઘડાને પણ તમારા વિના કોઈ સાથે સંબંધ નથી. એક ઑડિટોરિયમમાં એક વાર લક્ષ્મીશંકર આ ગીતને ગાતા હતા અને સભાવૃન્દમાં બેઠેલા ઉમાશંકર જોષી અને સુન્દરમ્ એને સાંભળતા હતા. જ્યારે લક્ષ્મીશંકર ઘુંટતા હતા “હમરો ઘટ ન ભરાઈ, ઐસો ઘટ ક્યોં તુમને દિયો?’, ત્યારે સુન્દરમે ઉમાશંકરને પૂછ્યું: જો આ ઘડો (અસ્તિત્વ) ભરાવાનો જ નહોતો, તો સર્જનહારે કેમ આપ્યો ? ઉમાશંકરે કહ્યું : ઘડો ભરાય તો ડૂબી જાય ને ! સુન્દરમ્ કહે પણ ઘડો ભરાય નહિ, ડૂબે નહિ તો એનું સાર્થક્ય શું? ડૂબવું છે પ્રભુમાં. ડૂબવું છે પોતામાં. . ધ્યાનમાં સ્પર્શ થાય આત્મગુણવૈભવનો. પૂજ્યપાદ ચિદાનન્દજી મહારાજે “સ્વરોદય જ્ઞાન'માં રૂપસ્થ વગેરે ચાર ધ્યાનોની મોહક પ્રસ્તુતિ આપી છે. અનુભૂતિવાનું સદ્ગુરુ જ વાસ્તવદર્શી ચિત્ર - ભીતરની દુનિયાનુંરજૂ કરી શકે ને ! ધ્યાન ચાર ભગવંત બતાવે, તે મેરે મન અધિકે ભાવે; રૂપસ્થ પદસ્થ પિંડ કહીએ, રૂપાતીત સાધ શિવ લીજે.” ૯૨/ કેવી વિનમ્ર આ અભિવ્યક્તિ ! પ્રભુએ આ ચાર ધ્યાન બતાવ્યાં છે અને એથી મને તે બહુ જ ગમ્યા છે. “મધુરાધિપતેરખિલં મધુરમ. માધુર્યના અધિપતિ પરમાત્માનું બધું મધુરું જ હોય ને ! ૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy