________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પંચાચારમયી સાધના
જાતને કહેતા કે એક દિવસ તારી પણ હાલત આવી જ થવાની છે. શા માટે તું અહંકાર કરે છે ?
જ્ઞાન, દર્શન પછી ચારિત્ર.
બહુ જ પ્યારું આ સૂત્ર : વારિત્રમાત્મવરગતું. આત્મભાવ તરફ લઈ જાય તે જ ચારિત્ર.
આ સૂત્રનો મઝાનો અનુવાદ પૂજ્ય પદ્મવિજય મહારાજે આપ્યો : “પરિષહ સહનાદિક પરકારા, એ સબ હે વ્યવહારા હો; નિશ્ચય નિજગુણ ઠરણ ઉદારા, લહત ઉત્તમ ભવપારા હો.”
વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય, ચારિત્રની વ્યાખ્યા અહીં અપાઈ. પરિષદોને સહેવા તે વ્યવહાર ચારિત્ર. નિજ ગુણમાં સ્થિરતા તે નિશ્ચય ચારિત્ર.
પરિષહ સહેવાથી દેહાધ્યાસ ટળે અને નિરાસક્ત દશા નિશ્ચય ચારિત્ર ભણી જવામાં ઉપયોગી બને.
ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનોગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ રૂપ આ ચારિત્રાચાર.... “વારિત્રમાત્મવરત.'
વીર્ય. આત્મશક્તિ. | વિનોબાજી એક સરસ વાત કહેતા : ખેડૂત પાણીને જો રાઈના ખેતર તરફ લઈ જાય તો એ પાણી રાઈની તીખાશને વધારનારું બને. અને જો ખેડૂત એ જ પાણીને શેરડીના ખેતર તરફ લઈ જાય તો એ પાણી શેરડીની મિઠાશને ઉભારનારું બને. પાણી એક જ. આધાર વહાવનાર પર.
૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org