________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પંચાચારમયી સાધના પર્યાયો વહી રહ્યા છે. પોતે એમના સાક્ષી છે. દ્રા છે.
તમે માત્ર જુઓ તો નિર્લેપતા. જોવાની ક્ષણોમાં રતિ, અરતિ આવી તો લેપદશા.
દ્રષ્ટાભાવ.
મહાત્મા બુદ્ધ જંગલમાં બેઠા છે. ધ્યાન પૂરું થયેલ છે. આંખો ખુલ્લી છે. એક બહેન ત્યાંથી પસાર થઈ. થોડી વાર પછી એને શોધતા થોડાક યુવાનો નીકળ્યા. પૂછવું તેમણે બુદ્ધને : અહીંથી કોઈ યુવતીને પસાર થતી જોયેલી ? કઈ બાજુ એ ગઈ ?
બુદ્ધ કહે છે : પરમાણુઓનો એક જથ્થો ગયો તેવો ખ્યાલ છે. પણ એ ભાઈ હતો કે બહેન, તે ખ્યાલ નથી.
અહીં માત્ર જોવાનું થયું. જોવાની ક્રિયા પાછળ રસવૃત્તિ નહોતી. દ્રષ્ટાભાવ સાધકને આ ભૂમિકાએ પહોંચાડે છે. યાદ આવે શ્રીમદ્ રાજચન્દ્રજી : “રજકણને ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો.”
દ્રષ્ટાભાવ..
સ્વાંગસે પોતાની એક ઝોળી પોતાની પાસે જ રાખતા. પોતે જ તેને ઊચકતા. અને કોઈ શિષ્યને એ જોવા પણ નહિ આપતા.
નવા-સવા એક સાધકને એ ઝોળીમાં શું છે એ જાણવાની ચટપટી ઉપડી. એકવાર મોકો મળી ગયો. તેણે ઝોળી ખોલીને જોયું તો તેમાં મૃત મનુષ્યની ખોપરી હતી.
પાછળથી ગુરુએ એ ખોપરી વિષે કહેલું કે સહેજ પણ અહંકાર પોતાને આવી જાય તો પોતે એ ખોપરીને જોઈ લેતા અને પોતાની
૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org