________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પંચાચારમયી સાધના
આસક્તિભાવમાંથી બચવા માટેની આ કેવી સરસ જાગૃતિ હતી!
દ્રષ્ટાભાવ.
દ્રષ્ટાને - આત્માને જોવો છે અને દૃશ્યોમાં જવું નથી. અષ્ટાવક્ર ઋષિએ સરસ કહ્યું : “આથમેવ હિ તે વન્યો, દ્રષ્ટાર પડ્યુસીતરમ્'. તું બીજાઓને દ્રષ્ટા તરીકે જુએ છે, તે જ તારા કર્મબન્ધનું કારણ છે.
શરીર શું છે? જોઈ શકાય છે, માટે એ દશ્ય છે. હવે એ શરીરમાં દ્રષ્ટાપણાનો - હું પણાનો ખ્યાલ આવ્યો તો શું થશે? શરીર માંદું પડશે અને સાધક એનેય જોશે કે એ વખતે ગમગીન બનશે ?
શરીરની માંદગી વખતેય જોનાર સ્વસ્થ હશે.
બહુ મઝાનો સવાલ એ થઈ શકે કે ફૂલ બીજે દિવસે કરમાય તો નવાઈ કે તાજું ને તાજું રહે તો નવાઈ ? માટીનો ઘડો બે - પાંચ વર્ષ ટકે તો નવાઈ કે ફૂટી જાય તો નવાઈ ?
શરીર પુદ્ગલ છે. અને પુદ્ગલનો ધર્મ જ નષ્ટ થવું તે છે. તો શરીર માંદું પડે તોય શી નવાઈ અને મૃત્યુની ક્ષણોની નજીક હોય તોય શું?
દ્રષ્ટાભાવ.
પર્યાયો વહી રહ્યા છે અને એમને સાધકે જોવાના છે. કોઈ પર્યાયો પર સારાં કે નરસાંનું લેબલ લગાવવાનું નથી. પર્યાય પર્યાય છે અને તે ક્રમશઃ ખૂલી રહ્યા છે.
શ્રીપાળ મહારાજા સાથે લગ્નગ્રન્થિથી જોડાતાં મયણાસુન્દરીએ એ પર્યાયોને શી રીતે જોયા એની મઝાની કેફિયત શ્રીપાળ રાસમાં છે : “મયણા મુખ નવિ પાલટે રે, અંશ ન આણે ખેદ, જ્ઞાનીએ દીઠું હુવે રે.
* ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org