________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પંચાચારમયી સાધના
આત્મજ્ઞાનને અનુભૂતિની ધરા પર જઈને સંવેદવું તે સમ્યગ્ દર્શન.
સમ્યગ્ જ્ઞાનને સાધનાના સ્તર પર જ્ઞાતાભાવ રૂપે અને સમ્યગ્ દર્શનને દ્રષ્ટાભાવ રૂપે અનુભવાશે.
જ્ઞાતાભાવ.
શેયોમાં અટવાયેલ ઉપયોગ જ્ઞાતા ભણી ફંટાય તે જ્ઞાતાભાવ. ઉપયોગી શેયો-પદાર્થો કે વ્યક્તિઓ-જણાય ત્યારેય લેપ ન હોય. ન હર્ષ, ન પીડા. માત્ર જાણવાનું. અગણિત જન્મોના પ્રવાહને કારણે આવેલી નબળાઈ એ છે કે સાધક પદાર્થો કે વ્યક્તિત્વોને બે ભાગમાં વહેંચી દે છે ઃ અનુકૂળ, પ્રતિકૂળ. અનુકૂળ મળે ત્યારે રતિભાવ. પ્રતિકૂળ પદાર્થ વગેરે મળે ત્યારે અતિભાવ.
સાધકની સાવધાની અહીં જરૂરી છે. પર પદાર્થો કે વ્યક્તિત્વો તરફ એણે જવું નથી. અને ઉપયોગી પદાર્થો વપરાય ત્યારે રતિ-અતિનો ભાવ ન ઉઠે તેવું કરવું છે.
વિનોબાજી નાના હતા ત્યારે તેમના ઘરે સંબંધીઓના દીકરા-નાના ગામોમાં આગળનું ભણવાનું ન હોઈ, ભણવા માટે આવેલા – રહેતા. વિનોબાએ જોયું કે મા પોતાને જમવા માટે ઠંડી રોટલી આપતી. પેલા છોકરાઓને ગરમ રોટલી મળતી.
એકવાર વિનોબાએ મા આગળ આના માટે ફરિયાદ કરી ત્યારે માએ કહ્યું : વિન્યા ! તું મારો દીકરો હોઈ તારા પર વધુ લાગણી મને છે, એથી એ લાગણીના પૂરમાં વહી હું બીજા દીકરાઓને અન્યાય ન કરી બેસું એની આ સાવધાની છે. જે ક્ષણે તારા પર અને બીજા છોકરાઓ પર એક સરખો ભાવ મને થશે ત્યારે તને પણ ગરમ રોટલી મળશે.
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org