________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પંચાચારમયી સાધના
ગુરુએ શિષ્યને જગાડ્યો અને પોતાની આંગળીને ચન્દ્ર તરફ લંબાવી કહ્યું : જો !
શિષ્ય ચન્દ્રપ્રકાશમાં ચમકતી ગુરુની આંગળી જોઈ રહ્યો અને એણે કહ્યું : ગુરુદેવ! આપની આંગળી કેવી તો ચમકે છે !
ગુરુ કહે : મૂર્ખ ! અર્ધી રાતે તને મારી આંગળી જોવા માટે મેં ઉઠાડ્યો નથી. આંગળી જે દિશામાં તકાયેલી છે, ત્યાં જો ! શિષ્ય ચન્દ્રને જોયો....
આવું બની જાય છે સાધનાકાળમાં, કે જ્યારે આપણે સગુરુની અભિવ્યક્તિથી કે સત્શાસ્ત્રોની પ્રસ્તુતિથી મુગ્ધ થઈ જઈએ. પણ એ શબ્દોની આંગળી જે દિશામાં તકાયેલી છે, એ દિશા અણજોવાયેલી જ રહે.
ઈશારો પકડાય તો યાત્રા શરૂ થઈ રહે. સાધક સદ્ગુરુ પાસે આવ્યો. ચરણોમાં મૂક્યો. વિનંતિ કરી : ગુરુદેવ ! પ્રભુનું દર્શન કરાવો ! ગુરુએ કહ્યું : ઉપર જો !
બે જ શબ્દો. ઈશારો વ્યાખ્યાયિત થતાંની સાથે પ્રભુ મળી જાય તેવા શબ્દો. શિષ્ય પહોંચેલો હતો. તેણે સદ્ગુરુદેવની આંખોમાં જોયું અને પ્રભુનું દર્શન તેને મળી ગયું.
આત્માનુભૂતિની દિશામાં જવા માટેની સમજુતી જ્ઞાનના સ્તરે મળતી હોઈ એ અપેક્ષાએ જ્ઞાન આત્મચરણનું સહાયક બન્યું.
દર્શનમાં આત્માનુભૂતિનો આછો પ્રકાશ સાંપડે છે. જે આત્માનુભૂતિની તીવ્ર ઝંખના રૂપે દેખાય છે. નવપદ પૂજા દર્શનની વ્યાખ્યા આપતાં કહે છે : “આતમ જ્ઞાન કો અનુભવ દર્શન, સરસ સુધારસ પીજિયે....”
' ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org