________________
ધ્યાન અને કાયોત્સર્ગ • પંચાચારમયી સાધના
તમારે રંગો છે, અને આકારો છે, કલાકારે દીધો તુમ સમીપ આનન્દ કણ છે, અને બાગોમાંના કુસુમ થકી લાંબું જીવન છે.. એ પછી કવિ હળવાશથી કહે છે : ન જાણો નિન્દુ છું, પરતું પૂછું છું, તમારા હૈયાના ગહન મહિયે એવું વસતું, દિનાત્તે આજે તો નિજ સકલ અર્પી ઝરી જવું...
કુદરતી ફૂલ સાંજ પડ્યે પોતાનું સ્વત્વ ધરતી માતાને આપી દે છે. કવિ પૂછે છે કાગળનાં ફૂલોને આ આપવાનો આનન્દ તમારી પાસે છે?
વેયાવચ્ચ એટલે માત્ર કામ કરી લેવું એમ નહિ, એ તો છે સ્વત્વનું સમર્પણ.
હકીકતમાં, આપણા હોવાપણા પર અહંકારની માટીના જે પડો ચડેલા છે, તેમને દૂર કરી વેયાવચ્ચ આપણા વાસ્તવિક હોવાને પ્રગટાવે છે.
અભ્યત્તર તપની પહેલાં છે બાહ્ય તપ. આહારને આસ્વાદ માટે લેવાને બદલે એ સાધનામાં સહાયક બને તે રીતે અને તેટલો જ લેવો ઇત્યાદિનો વિચાર તે બાહ્ય તપ. અને એ સાથે કાયાને સાધના માટે
* ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org