________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી
વાસ્તવિક ગુણાનુરાગ અહમને તોડશે. સાધક પાસે એક સરસ દૃષ્ટિ બિન્દુ એ છે કે એ પોતાની જાતને બધા કરતાં ન્યૂન તે કલ્પશે. પોતે બધાં કરતાં કઈ રીતે ઊતરતો છે એ તે જોશે.
આ જ તો થયું પ્રાયશ્ચિત્ત ! અત્યાર સુધી પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માનેલીઅગણિત જન્મોમાં કરેલ અપરાધનું આ પ્રાયશ્ચિત્ત.
સંત હરિદાસે પ્રાર્થનામાં કહ્યું: ‘તિનકા બુયારી કે વશ.” પ્રભુ! હું તણખલા જેવો છું. તણખલું વાળનારના વશમાં હોય, એમ હું તારે આધીન છું.
ભક્ત ગૌરાંગ એક ડગલું આગળ વધ્યા : “તૃણાદપિ સુનીચેન ભવિતવ્યમ્'. ભગવાન ! ક્યારેક તણખલું વાળનારને વશ નથી રહેતું, હવામાં ઉડી જાય છે. મારે તો માત્ર તારે આધીન થઈને રહેવું છે. એટલે હું તણખલા કરતાંય હીન છું. - સંત સુરદાસે આ જ લયમાં કહ્યું : “મોં સમ કૌન કુટિલ ખલ કામી, જિન તનુ દિયો સો હી બિસરાયો, ઐસો નિમકહરામી'... મારા જેવો વક્ર, દુષ્ટ, કામી કોણ હશે? અને હું કેવો તો નિમકહરામી કે જેણે મને શરીર આપીને આ જગમાં મોકલ્યો, તેને જ હું ભૂલી ગયો.
શરણ સ્વીકાર, દુષ્કૃત ગહ અને સુકૃતાનુમોદનાની આ સાધના સ્પિદી સાધકના અહંકારને શિથિલ કરશે.
ગુણો પોતામાં, દોષો અન્યમાં', આ સૂત્રને અહીં ઉલટાવવામાં આવ્યું “ગુણો અન્યમાં, દોષો પોતામાં.” આગળના સૂત્રનું ચાલક બળ અહંકાર હતો. અહીં શરણાગતિ એ બળ છે.
કેવી મઝાની આ સાધના ત્રિપદી ! મંઝિલ તો અહીં મઝાની છે જ, માર્ગ પણ કેવો મઝાનો અહીં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org