________________
ધ્યાન અને કાયોત્સર્ગ - સાધના ત્રિપદી
શરણાગતિની ભાવધારા અહમૂને સામે છેડે છે. અહમ્ પીગળે તો જ શરણાગતિ વાસ્તવિક બને. દુષ્કૃત-ગહ પણ અહમૂને પીગાળવા માટે છે.
અત્યાર સુધી, હું કેન્દ્રમાં હોવાને કારણે પોતાના દ્વારા જે કંઈ થાય તે સારું લાગતું હતું. “મારું તે સારું આ સૂત્રને આધારે ચલાતું હતું ને!
હવે સાધક પોતે સેવેલ દોષોને ‘એ ખરાબ છે. એ રીતે જોઈ શકે છે.
જો કે, સાધકને લાગે છે કે પોતાના દોષોને બારીકાઈથી જોવા અને તેમને ખરાબ માનવા એ એવી અઘરી વાત છે, જે માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના વડે તો અશક્ય કાર્ય પણ શક્ય બની જાય ને !
સાધકની આ પ્રાર્થના : “હો૩ પુસા સન્મ રિહા | દોડે છે અરનિયમો / સમક, પ્રગટ પણે દોષોની નિન્દના મને મળો ! અને એ દોષો ફરીથી ન જ થાય એવું બળ મને મળો !
સુકતાનુમોદના.
જે જે ગુણી વ્યક્તિઓના ગુણો દેખાય તેને અનુમોદવા. આ છે ગુણાનુરાગ. ગુણો પરનો અનુરાગ.
ક્યારેક આપણને વહેમ થતો હોય છે કે ગુણાનુરાગ મારામાં છે. બારીકાઈથી જોઈએ તો ખ્યાલ આવે કે એ ખરેખર ગુણાનુરાગ છે કે ભ્રમ છે.
એક વ્યક્તિ આપણને ગમે છે. હવે તેનામાં રહેલ ગુણો પ્રત્યે અનુરાગ છે એવો ખ્યાલ આપણને થાય છે. પણ આ ગુણાનુરાગ વ્યક્તિકેન્દ્રિત થયો. અને એથીય રસપ્રદ વાત તો એ છે એ વ્યક્તિ એટલા માટે ગમે છે કે એ આપણા અહમૂને પંપાળે છે.
તો, આ ગુણાનુરાગ થયો કે અહમ્ પ્રત્યેનો અનુરાગ થયો ?
૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org