________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી
રહી છે. બાળકે ફરિયાદ કરી મા ! ભઈલાને તું જમાડે છે, તો મને કેમ જમાડતી નથી ?
માએ કહ્યું : બેટા ! ભઈલો એની મેળે થોડો જમી શકે એમ છે ? તું તારી જાતે જમી શકે છે.
સાધનાના સન્દર્ભમાં એક સરસ સૂત્ર આવે છે : “પંગું લંઘયતે ગિરિમ્.' પ્રભુની કૃપા પાંગળાને પણ ગિરિ કુદાવે છે. હું એ વાક્યમાં એક “એવ' મૂકવાનું પસંદ કરું છું. ‘પદ્રુમેવ લઘયતે ગિરિમ'. સાધનાનો પર્વત, પોતાની જાતે ન ચઢી શકનારને જ પ્રભુકૃપા ચઢાવે છે.
હું સાધના કરું છું, કરી શકું છું એવો અહંકાર આવે તો પરમ ચેતના કઈ રીતે કામ કરશે ?
નિરહંકારતાની આધારશિલા પર જ પ્રભુની શક્તિ ઝીલી શકાય છે.
દુષ્કૃત-ગહ.
અતીતની યાત્રામાં અને આ જીવનમાં પણ જે દોષો સેવાયા છે, તેની નિન્દના.
પશ્ચાત્તાપની વહેતી અશ્રુધારા ફરી એ દોષોની નજીક સાધકને જવા દેતી નથી.
એક મઝાનું સૂત્ર છે : દોષો ખટક્યા એટલે ગયા. ગુણો ગમ્યા એટલે મળ્યા.
દોષો ખટકશે – રાગ, દ્વેષ, અહંકાર વગેરે - તીવ્રતાથી, ત્યારે પ્રભુનું શરણું બરોબર લેવાનું મન થશે. પ્રભુની કૃપા મને દોષોથી બચાવશે આ ભાવ શરણાગતિની વિભાવનાને દઢ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org