________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી આવું જ આજ્ઞાધર્મ વિષે. સદ્ગુરુ દ્વારા પ્રભુનો આજ્ઞાધર્મ મળ્યો. એક એક આજ્ઞાનું પાલન કરતાં સાધકને આજ્ઞાપાલનના ગુણોનો ખ્યાલ આવે છે. ઈર્ષા સમિતિએ પોતાને કેવો બચાવ્યો. અથવા તો ક્રોધનો ઉદય ઉછળી પડે તેવું હતું ત્યારેય પ્રભુનો ક્ષમાધર્મ પાળતાં કેટલો તો આનન્દ થયો. આ ગુણકલનની ભૂમિકા આજ્ઞા-ધર્મને અસ્તિત્વના સ્તર પર ઉતારે છે.
સદ્ગુરુના શ્રીચરણોની પ્રાપ્તિ પણ ગુણકલનની ભૂમિકાને વટાવી ગુરુબહુમાનની ભૂમિ પર સાધકને પ્રસ્થાપિત કરે છે.
યાદ આવે પંચ સૂત્રક: “ગાયો ગુરુવહુમાળો'. ગુરુબહુમાન તે જ મોક્ષ.
સદ્ગુરુ જ પરમગુરુ જોડે મેળાપ કરાવી દે. “અમો પરમગુરૂંગોળી'. સદ્ગુરુબહુમાન વડે જ પરમગુરુનો સંયોગ થાય છે. પરમાત્મા સાથે મિલન થાય છે.
શરણાગતિનો અર્થ થશે સંપૂર્ણતયા ઝૂકી જવું. આપણા કેન્દ્રનું તૂટી જવું.
કબીરજી યાદ આવે : “પહલે હમ થે પ્રભુ નહિ, અબ પ્રભુ હૈ હમ નહિ; પ્રેમ ગલી અતિ સાંકરી, તામેં દો ન સમાહિ”. કેન્દ્રમાં આપણે હોઈશું, તો પ્રભુ ક્યાંથી પધારશે ? ભક્તની શરણાગતિ જ પ્રભુને અન્તસ્તરમાં આણવાનો ઉપાય છે.
અને, મનઘરમાં પ્રભુ આવ્યા પછી...? પૂજ્ય માનવિજય મહારાજની ભક્તિપૂર્ણ કેફિયત યાદ આવે : “મનમાંહિ આણી વાસિયો, હવે કિમ નીસરવા દેવાય; જો ભેદ રહિત મુજસે મિલો, તો પલક માંહિ છૂટાય.” પ્રભુ સાથે અભેદ મિલન એ છે ભક્તનું સ્વપ્ન.
શરણાગતિથી અભેદ મિલન. આ જ તો છે બુંદ સમાના સમુંદ મેંથી “સમુંદ સમાના બુંદમેં ની યાત્રા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org