________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સાધના ત્રિપદી
આખરે, એક પ્રશ્ન હૃદયને કોરશે : શા માટે પર પદાર્થો કે પર વ્યક્તિઓમાં – દૃશ્યોમાં દ્રષ્ટા અટવાયા કરે છે ? પર ઉપરનો આટલો લગાવ કેમ ?
નવાઈ લાગશે, પણ એ હકીકત છે કે પર પ્રત્યેના લગાવનું કારણ હું છે. અહંચેતના “પર” ને મોટા ફલક પર મૂકે છે.
તમે જોશો કે, બધું જ પર’ સામાન્ય મનુષ્યને આકર્ષતું નથી. એને એ પર જોડે જ સબંધ છે, જે એના “હું” ને ક્યાંક સ્પર્શે છે.
સંપત્તિ કરોડોની બીજાની હોય, એ સાથે સામાન્ય જનને સંબંધ નથી, એને પોતાની સંપત્તિ જોડે જ સંબંધ છે.
તો, પરમાં રસ છે એનું કારણ છે અહંચેતના. મારી પ્રશંસા કરનાર સામાન્ય વ્યક્તિઓ પણ મને વિશિષ્ટ લાગશે; મારા “હું ને એમણે પુષ્ટ કર્યું ને ! મિર્ઝા ગાલિબ યાદ આવે :
બોયા મુઝ કો મેરે હોને ને, ન હોતા મેં તો ક્યા હોતા !
હુંના શિથિલીકરણ માટે પંચસૂત્રકના પ્રથમ સૂત્રમાં સાધના ત્રિપદી અપાઈ છે શરણ સ્વીકાર, દુષ્કૃત ગર્તા અને સુકૃત અનુમોદના.
હુંની સપાટી પર રંધો કઈ રીતે લગાવે છે આ ત્રિપદી? ક્રમશઃ જોઈએ.
પૂછ્યું હતું મીરાંને એક સાધકે તમે પ્રભુને શી રીતે મેળવ્યા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org