________________
ધ્યાન અને કાયોત્સર્ગ • “તસ્સ ઉત્તરી૦’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ
પ્રભુએ આપેલ આ ધ્યાન અને કાયોત્સર્ગના અમૃતકુંભને ખોલીએ. એમાંના સાધના-જળનું આચમન કરીએ.
એક અમેરિકી પ્રોફેસર પત્ની સાથે ફરવા ગયેલા. અચાનક ગાડીને નાનો અકસ્માત નડ્યો. પ્રોફેસરની આંગળી પર થોડુંક વાગ્યું. સામાન્ય રીતે ફર્સ્ટ એઈડ બોક્સ ગાડીમાં હોય જ. આજે એ રહી ગયેલું, હવે શું કરવું? પીડા ઘણી છે.
પત્ની કહે છે : મેં ધ્યાનપદ્ધતિ અંગે વાંચેલું છે. એ દ્વારા વેદના શમી જતી હોય છે. તમને પણ એ અંગે ખ્યાલ છે જ. તો તમે ધ્યાનમાં જાવ ને!
ખરેખર, ફર્સ્ટ એઈડ બોક્સ (સારવાર માટેની ઔષધીય પેટી) નહોતું એ વરદાન રૂપ બની ગયું. કારણ કે એ હોત તો પ્રોફેસર ધ્યાનમાં ન જાત.
પ્રોફેસર ધ્યાનમાં ગયા. અને ચમત્કારિક રૂપે વેદના શમી ગઈ. પછી તો તેઓ ધ્યાનના ક્ષેત્રે આગળ વધ્યા. અને પછી ધ્યાન શીખવનાર પ્રોફેસર બન્યા.
માત્ર વેદનાશામક રૂપે, જો કે, ધ્યાનની મહત્તા નથી. ધ્યાન તો તમને અનહદ આનદ આપે છે.
પોતાની જાત સાથેની શાશ્વતીના લયની, આનન્દમાં તરબોળ બનેલી ક્ષણોની
૨૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org