________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો
સદ્ગુરુ સાધકના મસ્તક પર બ્રહ્મરન્ધ્ર (સહસ્ત્રાર માટેનું દેહનું સ્થળ) પર જ હાથ મૂકે છે. દીક્ષા વખતે એ ચોટીના ભાગના વાળને સદ્ગુરુ પોતાના હાથે કાઢે છે; જેથી બ્રહ્મરન્ત્ર વિભાવશૂન્ય બને છે. અને પછી સદ્ગુરુ શક્તિપાત રૂપે ‘કરેમિ ભંતે !’ સૂત્ર સાધકને આપે છે.
તો, બીજી-ત્રીજી-ચોથી ગાથામાં ચક્રધ્યાન આવેલ છે.
કાયોત્સર્ગમાં લોગસ્સ સૂત્ર ગણીએ ત્યારે ‘પાયસમા ઉસાસા' ની વિધિથી પાદો ગણવાના. પરંતુ એકાગ્રતા માટેના અવલંબન તરીકે લોગસ્સ સૂત્ર લઈએ ત્યારે આ રીતે ચક્રધ્યાન કરી શકાય.
*
એ પછી આવે છે પ્રસાદધ્યાન, પાંચમી ગાથાનું ધ્યાન છે પ્રસાદધ્યાન.
‘એવં મએ અભિક્ષુઆ,
વિયરયમલા પહીણજરમરણા,
ચઉવીસંપિ જિણવરા
તિત્શયરા મે પસીયંતુ’...
તિર્થંકર ભગવંતોના પ્રસાદ તરીકે એમની શક્તિને જોવાની છે. પંચવિંશતિકા'માં ઉપાધ્યાય શ્રીયશોવિજય મહારાજ કહે છે ઃ વ્યત્યા શિવવવસ્થોડમાં, શસ્યા નયતિ સર્વશઃ'.. વ્યક્તિ રૂપે પરમાત્મા સિદ્ધશિલા પર બિરાજમાન છે (વિહરમાન ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં), શક્તિ રૂપે પરમાત્મા સર્વગામી છે.
આ જ લય ‘સકલાર્હત્ સ્તોત્રના પ્રારંભમાં છે : ભૂર્ભુવ:સ્વસ્ત્રથીશાનમાર્હત્ત્વ પ્રશિષ્મદે'. ત્રણે લોક પર પ્રભુત્વ જેનું છે તેવા આર્હન્યનું અમે પ્રણિધાન કરીએ છીએ.
Jain Education International
૧૮૭
For Personal & Private Use Only
www.jainelibrary.org