SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો શું છે આ આઈજ્ય ? પંન્યાસજી ભગવંતે કહ્યું છે તેમ તે છે આજ્ઞા-શક્તિ. પ્રભુની આજ્ઞાશક્તિ ત્રણે લોકમાં અવિચ્છિન્ન રૂપે ચાલે છે. રાજ્યશક્તિ જેવી જ એ શક્તિ કાર્યકારિણી છે : આજ્ઞા પાળનારને લાભ, આજ્ઞા તોડનારને નુકશાન. વીતરાગસ્તોત્રમાં આ જ વાત કહેવાઈ: 'आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च ।' ધર્માસ્તિકાય ક્યારેય અધર્માસ્તિકાય ન થાય કે જીવ ક્યારેય જડ ન થાય એની પાછળની શક્તિ છે આ આજ્ઞાશક્તિ. મેલૂહાને એક સરસ રૂપક કથા કહી છે : દરિયામાં રહેતી એક નાનકડી માછલીએ મોટી માછલીને એક વાર પૂછ્યું : લોકો બધા કહે છે કે દરિયો આવો હોય ને દરિયો તેવો હોય; તો એ દરિયો આવ્યો ક્યાં? મોટી માછલીએ કહ્યું: આપણે દરિયામાં તો છીએ જ. આ જ તો દરિયો. નાની માછલીનો પ્રત્યાઘાત આપણા જેવો જ હતો : અચ્છા, આ દરિયો છે ! આ તો છે પાણી... આપણેય પરમચેતનાના સમંદરમાં રહેવા છતાં શું કહીશું? હું તો ઘટનાઓના જગતમાં છું. પરમ ચેતનાનો સમંદર ચોતરફ વિસ્તરેલો છે અને એનું હું એક મોજું છું આ ભાવ આપણને ઊડ્યો? પ્રસાદ ધ્યાનમાં પ્રભુના પ્રસાદને ઝીલવાની પ્રક્રિયા છે. એ પ્રસાદનેઆજ્ઞાને અહીં આપણે સમભાવ રૂપે જોઈશું. તિસ્થયરા મે પસીયંસુ... આ પદનો જાપ અને એના કારણે નીખરેલી ચેતનાની દશા પ્રભુના સમભાવની વર્ષાને ઝીલાવશે. ૧૮૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy