________________
ધ્યાન અને કાયોત્સર્ગ • કાયોત્સર્ગ-વિધિ : શુભથી શુદ્ધ સુધીની યાત્રા
જે શલ્ય અન્તઃકરણમાં, અવચેતનમાં પ્રવેશી ગયેલ હોય અને જે નિરન્તર ક્લેશ આપ્યા કરતું હોય તેના ઉન્મેલન માટે અમનસ્કતા વિના કોઈ ઔષધ નથી.
લોગસ્સ સૂત્રની સાતમી ગાથા “ચંદેસુ નિમલયરા” માં નિરાલમ્બન ધ્યાન છે. અને ત્યાં મનનો વિષય ન હોવાથી અમનસ્કતા છે.
અમનસ્કતા વિષે કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય યોગશાસ્ત્રના ૧૨મા પ્રકાશમાં આ રીતે કહે છે.
औदासीन्यपरायणवृत्तिः,
किञ्चिदपि चिन्तयेन्नैव । , यत्सङ्कल्पाकुलितं,
चित्तं नासादयेत् स्थैर्यम् ॥ १९ ।। ઉદાસીનતામાં ડૂબેલ સાધક કંઈ પણ વિચારે નહિ; કેમકે સંકલ્પોથી વ્યાકુળ થયેલું મન સ્થિરતાને પામતું નથી. औदासीन्यनिमग्नः
प्रयत्नपरिवर्जितः सततमात्मा । भावितपरमान्दः
क्वचिदपि न मनो नियोजयति॥ ३३।। ઉદાસીનતામાં ડૂબેલ, પ્રયત્ન વગરનો અને પરમ આનંદથી ભાવિત આત્મા ક્યાંય મનને જોડતો નથી.
(૫) પાપકર્મનિર્ધાતન. કર્મોનું શિથિલીકરણ. (ઉત્તરીકરણ આદિ આ પાંચે ચરણોની વિશેષ સમજુતી માટે જુઓ પૃ. ૨૦૭)
૧૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org