SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ કાયોત્સર્ગ-વિધિ : શુભથી શુદ્ધ સુધીની યાત્રા આ પછીનું સૂત્ર છે ‘તસ્સ ઉત્તરી॰' સૂત્ર. તેમાં પાંચ પ્રક્રિયાઓ આવે છે. : (૧) ઉત્તરીકરણ ઃ જે અતિચારોનું ઈરિયાવહીથી આલોચન અને પ્રતિક્રમણ કર્યું, તેની ફરી વિશેષ શુદ્ધિ માટે ઉત્તરીકરણની પ્રક્રિયા. (૨) પ્રાયઃ કરીને ચિત્તને શુદ્ધ કરે તે પ્રાયશ્ચિત્તકરણ. લોગસ્સ સૂત્રની પાંચમી ગાથા ‘એવં મએ અભિક્ષુઆ..'માં પ્રભુની સ્તવનાની વાત આવે છે. પ્રભુના ગુણોની સ્તવના દોષોને દૂર કરે એ રીતે પ્રાયશ્ચિત્ત કરણ થઈ જાય. (૩) વિશુદ્ધિકરણ એટલે આત્માના અધ્યવસાયોની નિર્મળતા. લોગસ્સ સૂત્રની ૬ઠ્ઠી ગાથા “ક્ત્તિીય વંદિય મહિયા...' માં આ વિશુદ્ધીકરણની શક્તિ છે. કીર્તન, વંદન, મહન (પૂજન) આ ત્રણે પ્રક્રિયાઓને આ રીતે સમજવાની છે : કીર્તન એટલે દર્શનભાવનાના અનુસારે દર્શનવિશુદ્ધિ માટે પ્રભનું નામસ્મરણ. વંદન એટલે જ્ઞાનભાવના પ્રમાણે જ્ઞાનવિશુદ્ધિ માટે વિનયપૂર્વક વંદન. મહન એટલે ચારિત્રભાવનાનુસારે ચારિત્રવિશુદ્ધિ માટે સદ્ભૂત ગુણોનું ઉત્કીર્તન. (૪) વિશલ્યીકરણ એટલે અવચેતન મનમાં પાપોનાં શલ્ય જે પેસી ગયા હોય તેને દૂર કરવા. યોગશાસ્ત્રના ૧૨મા પ્રકાશનો શ્લોક કહે છે : शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् । अमनस्कतां विनाऽन्यद् विशल्यीकरणौषधं नास्ति ॥ ३९ ॥ ૧૭૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy