SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • શ્વાસોચ્છ્વાસની લયબદ્ધતા મૂળ આવશ્યક નિર્યુક્તિની કાયોત્સર્ગ અધ્યયનની ભાષ્ય અને નિર્યુક્તિની ગાથાઓ પર આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજની ટીકા છે. પરન્તુ ઉપરોક્ત ગાથા પર ટીકા નથી. ‘પાયસમાં સાસા...’ આ પદ આપણી સામે છે. અને તેમાં લખ્યું છે કે ઉત્સર્ગથી (અપવાદથી નહિ) પાદના જેવા ઉચ્છ્વાસ, આ રીતે કાળ પ્રમાણ ગણવું. પાદસમ ઉચ્છ્વાસ. પરંપરા- સામાચારી જે અર્થ કરે છે, પાદસમ ઉચ્છ્વાસ શબ્દનો, તે ઉપર જોયો. આ પરંપરાના મૂળમાં શ્વાસોચ્છ્વાસની લયબદ્ધતા સંકળાયેલી લાગે. ઉચ્છ્વાસ -શ્વાસ લેતી વખતે એક પાદ ગણાયું. બીજા ઉચ્છ્વાસે બીજું પાદ... આમ અભ્યાસ થઈ ગયો. ઉચ્છ્વાસ સાથે પાદ સંકળાઈ ગયું. હવે ઉચ્છવાસ પર ધ્યાન આપવાની જરૂર નહિ. પાદ ગણશો, ઉચ્છવાસ એની મેળે આવી જશે. શ્વાસોચ્છ્વાસની લયબદ્ધતાની પૃષ્ઠભૂ પર પાદ-ગણન. કાયોત્સર્ગ. શ્રી શાન્તિકુમાર ભટ્ટ ‘પ્રાણાયામ’ પુસ્તકમાં લખે છે કે સ્વસ્થ માનવીનો મિનીટ પ્રમાણે શ્વાસોચ્છવાસ પ્રમાણદર આ રીતે છે : ઉમ્મર મિનીટ દીઠ શ્વાસોચ્છ્વાસનો પ્રમાણદર ૧૫ ૨૦ ૨૧ પુરુષ : ૧૬ થી ૧૮ સ્ત્રી : ૧૮ થી ૨૦ ૫૦ 8 Jain Education International ૧૬ ૧૪ થી ૧૬ ૧૭૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy