________________
ધ્યાન અને કાયોત્સર્ગ • શ્વાસોચ્છ્વાસની લયબદ્ધતા
મૂળ આવશ્યક નિર્યુક્તિની કાયોત્સર્ગ અધ્યયનની ભાષ્ય અને નિર્યુક્તિની ગાથાઓ પર આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજની ટીકા છે. પરન્તુ ઉપરોક્ત ગાથા પર ટીકા નથી.
‘પાયસમાં સાસા...’ આ પદ આપણી સામે છે. અને તેમાં લખ્યું છે કે ઉત્સર્ગથી (અપવાદથી નહિ) પાદના જેવા ઉચ્છ્વાસ, આ રીતે કાળ પ્રમાણ ગણવું. પાદસમ ઉચ્છ્વાસ.
પરંપરા- સામાચારી જે અર્થ કરે છે, પાદસમ ઉચ્છ્વાસ શબ્દનો, તે ઉપર જોયો. આ પરંપરાના મૂળમાં શ્વાસોચ્છ્વાસની લયબદ્ધતા સંકળાયેલી લાગે. ઉચ્છ્વાસ -શ્વાસ લેતી વખતે એક પાદ ગણાયું. બીજા ઉચ્છ્વાસે બીજું પાદ... આમ અભ્યાસ થઈ ગયો. ઉચ્છ્વાસ સાથે પાદ સંકળાઈ ગયું. હવે ઉચ્છવાસ પર ધ્યાન આપવાની જરૂર નહિ. પાદ ગણશો, ઉચ્છવાસ એની મેળે આવી જશે.
શ્વાસોચ્છ્વાસની લયબદ્ધતાની પૃષ્ઠભૂ પર પાદ-ગણન. કાયોત્સર્ગ.
શ્રી શાન્તિકુમાર ભટ્ટ ‘પ્રાણાયામ’ પુસ્તકમાં લખે છે કે સ્વસ્થ માનવીનો મિનીટ પ્રમાણે શ્વાસોચ્છવાસ પ્રમાણદર આ રીતે છે :
ઉમ્મર મિનીટ દીઠ શ્વાસોચ્છ્વાસનો પ્રમાણદર
૧૫
૨૦
૨૧
પુરુષ : ૧૬ થી ૧૮ સ્ત્રી : ૧૮ થી ૨૦
૫૦
8
Jain Education International
૧૬
૧૪ થી ૧૬
૧૭૩
For Personal & Private Use Only
www.jainelibrary.org