________________
ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા વખતે ક્ષમા ભાવનાને લઈ રહ્યો છું એવો ભાવ કરવાનો. કુંભકમાં એ ક્ષમાભાવ સ્થિર થયો છે એમ વિચારવાનું.
બાહ્ય કુંભક વખતે વિભાવોથી- ક્રોધ આદિથી - આંશિક રીતે ખાલી બન્યો છું એવું ધારવાનું.
શ્વાસોચ્છવાસની આ લયબદ્ધતા કેટલું કામ કરે છે ! ગમનાગમનમાં થયેલ વિરાધના કે સામાન્ય સાધ્વાચારમાં આવેલ ક્ષતિ માટે ઇરિયાવહી પૂર્વક ૨૫ શ્વાસોચ્છવાસ લયબદ્ધ કરવાથી ( “ચંદેસુ નિમલયરા” સુધીના લોગસ્સનો કાયોત્સર્ગ કરવાથી) તે ભૂલમાંથી માફી મળે છે.
શ્વાસોચ્છવાસની લયબદ્ધતા થઈ એટલે વિભાવોમાંથી સ્વભાવની ધારામાં અવાયું.
કાયોત્સર્ગ નિર્યુક્તિ શ્વાસની લયબદ્ધતા સાથે પદને સાંકળવાની વિધિ બતાવતાં કહે છે : '
पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा । एयं कालपमाणं, उस्सग्गेणं तु नायव्वं ।। १५३९ ।।
આ ગાથાની પરંપરિત વ્યાખ્યા એવી છે કે સાધક કાયોત્સર્ગમાં અન્નત્ય સૂત્ર બોલીને, લોગસ્સ સૂત્ર “ચંદેસુ નિમ્મલયરા” સુધી ગણે એટલે પચીસ શ્વાસોચ્છવાસ થઈ ગયા.
આ કથનની પાછળનું તાત્પર્ય એ છે કે સાધકે કાયોત્સર્ગ વખતે શ્વાસોચ્છવાસ પર ધ્યાન આપવાની જરૂરત નહિ; પદ પર જ ઉપયોગ રાખે એટલે કાયોત્સર્ગ થઈ ગયો કહેવાય.
આ અત્યારે ચાલતી પરંપરાને માન્ય વ્યાખ્યા છે.
૧૭૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org