________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૯ શ્વાસોચ્છવાસની લયબદ્ધતા
પહેલાં પૂરક. ધીરે ધીરે શ્વાસ લો. શ્વાસ લેવાઈ ગયા પછી એને સ્થિર કરો (આન્તર કુમ્ભક). ધીરે ધીરે હવે શ્વાસ છોડો (રેચક). અને ફેફસામાંથી નિઃશ્વાસ નીકળી ગયા પછી શ્વાસ ભરો નહિ, તે ગાળો તે બાહ્ય કુમ્ભક.
આન્તર કુમ્ભકમાં એ વાત ધ્યાનમાં રહેવી જોઈએ કે એટલી વાર સુધી શ્વાસને સ્થિર ન કરી રાખવો કે પછી ઝડપથી શ્વાસ છોડવો પડે. આમ કરવાથી જે લયબદ્ધતા સ્થાપિત કરવા માગીએ છીએ તે નહિ થાય. આ જ સાવધાની બાહ્ય કુંભક પ્રત્યે. એટલી બધી વાર તેમાં ન રહેવું કે પછીથી શ્વાસ બહુ ઝડપથી, વેગથી ખેંચવો પડે.
આ વર્તુળનો અભ્યાસ જેમ વધશે તેમ આન્સર કુમ્ભકનો ગાળો વધશે. શરૂઆતમાં કદાચ તમે નમસ્કાર મિત્રના ર-૩ પદો તેમાં ગણી શકતા હો. પછી પૂરો નમસ્કાર મિત્ર અને પછી એક થી વધુ વખત તે પવિત્ર મન્ત્ર ગણી શકાય.
આપણે ત્યાં મગ્ન ગણવાનું વિધાન આન્તર કુમ્ભકમાં છે. શ્વાસ સ્થિર હોવાથી મન સ્થિર હોય.
પૂરક અને રેચક સાથે એક સરસ વિભાવનાને જોડવાની વાત આઠ દૃષ્ટિની ચોથી સઝાયમાં કહી છે : બાહ્યભાવ રેચક ઈહાં જી,
પૂરક આન્તર ભાવ; કુંભક થિરતા ગુણે કરી છે,
પ્રાણાયામ સ્વભાવ.... ૪/ર. બહિર્ભાવનું રેચન અને આન્તરભાવનું પૂરણ. જેમ કે નિઃશ્વાસ બહાર કાઢવાનો હોય ત્યારે ક્રોધ જઈ રહ્યો છે એ વિભાવના કરવાની. પૂરક
૧૭૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org