________________
ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા
આવું થતું હોય છે : એક પ્રવાસી નદીને ઊતરી રહ્યો છે. મઝધારે જતાં લાગ્યું કે તાણ બહુ જ છે. શરીર પર વેગ જોરથી આવી રહેલ છે. પણ પ્રવાસી પોતાના પગને નીચેની જમીન સરસા જડી રાખે છે. સમજે છે કે જો પગ અદ્ધર થયા તો પોતે તિરછો થઈ વહેણમાં વહી જશે.
તો, વાત ચાલુ છે. નદીના પાણીનો જોરદાર વેગ, તાણ એ અનુભવી રહ્યો છે. અને સાથે જ, એ તાણમાં વહેવું નથી એવો નિર્ધાર છે. .
આ ઘટના સાધકના જીવનમાં અહીં ઘટી શકે કે ક્રોધનો ઉદય પણ ચાલુ છે અને એમાં જવું નથી એવો સાધકનો નિર્ધાર છે.
યોગશાસ્ત્રમાં સાધકના મનોભાવની વાત આવે છે કે ક્યારે હું સ્મશાન ભૂમિ પર કાયોત્સર્ગ સાધનામાં લીન બેઠેલો હોઈશ અને બળદો કે અન્ય પશુઓ, તે વખતે મારા શરીરને પથ્થર માનીને પોતાનું શરીર ઘસતા હશે...
આ તો થયું સાધનાનું શિખર. તલેટી કઈ ? શરૂઆત ક્યાંથી કરવાની ? શ્વાસોચ્છવાસની લયબદ્ધતાથી શરૂઆત કરવાની.
આવેગ કષાયનો જ્યારે ઊછળે ત્યારે જોજો, શ્વાસ ઝડપથી ચાલતા હશે. કોઈ વ્યક્તિ એમ કહે કે હું મારા આવેગો પર કાબૂ નથી મેળવી શકતો; તો સરળ માર્ગ એ છે કે એ વ્યક્તિ પોતાના શ્વાસોચ્છવાસને લયબદ્ધ કરી દે.
પૂરક, આન્તર કુંભક, રેચક અને બાહ્યકુંભક આ ચારનું પૂરું વર્તુળ તે શ્વાસોચ્છવાસનું ચક્ર.
૧૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org