SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન સ્થાન, મૌન અને ધ્યાન... કાયોત્સર્ગ આપણે કરીએ છીએ એમાં ત્રણે સાથે થાય છે. સ્થાનથી જિનમુદ્રા આદિ વડે ઊભા રહેવાનું વગેરે. મૌનથી અન્તર્જલ્પ અથવા તો વચન ગુપ્તિનો શુદ્ધ લય -સંપૂર્ણતયા ન બોલવા રૂપ. અને ધ્યાન એટલે એકાગ્રચિત્તતા. (મનોગુપ્તિનો શુભાત્મક લય-એક શુભ આલંબનને પકડી એકાગ્ર બનવાનું.) કાયોત્સર્ગ નિર્યુક્તિ નિષ્પકમ્પ (નિરંજન) ચિત્તને ધ્યાન કહે છે. એક શુભ આલમ્બનને પકડીને મનનું નિષ્પકમ્પ, સ્થિર બનવું તે ધ્યાન. આ નિષ્પકમ્પતામાં વિચારો અદશ્ય બની જાય છે, સ્વગુણોની ધારામાં સાધક વહેવા લાગે છે ત્યારે શુદ્ધલયાત્મક મનોગુપ્તિ રૂપ ધ્યાન હોય છે. કાયોત્સર્ગ ત્રિગુપ્તિ રૂપ છે જ, અને ‘ઠાણેણં મોણેણં ઝાણેણં અપ્પાણે વોસિરામિ' કહીને સાધક કાયોત્સર્ગ કરે છે ત્યારે ત્રણે ગુપ્તિઓ એક સાથે આવે છે. પણ, આવી પ્રતિજ્ઞા વિના સાધક ધ્યાનમાં બેસે(કે ઊભો રહે) ત્યારે કાયાની સ્થિરતા પહેલાં થશે કે પહેલાં મનની અથવા તો વચનની? આ પ્રશ્નનો ઉત્તર ધ્યાનશતક ગ્રંથે એ રીતે આપ્યો છે કે મનની અકમ્પતાથી કાયાના અકંપન સુધી પણ જઈ શકાય. અથવા પહેલાં કાયાને સુસ્થિર કરી મનની નિષ્પકમ્પતા ભણી જઈ શકાય. સ્થાન, મૌન, ધ્યાન દ્વારા કાયાનો ઉત્સર્ગ. १. गाढालंबणलग्गं, चित्तं वुत्तं निरयणं झाणं ॥ - માવશ્ય નિયુક્ટિ ૨૪૮૩ (ાયો. નિ.) २. झाणप्पडिवत्तिकमो होइ मणोजोगनिग्गहाईओ । भवकाले केवलिणो, सेसाण जहासमाहीए ॥ ४४॥ ध्यानशतक. ૧૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy