________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ સ્થાન, મૌન, ધ્યાન
પણ જ્યારે ધ્યાન સ્વરૂપ-સ્થિતિ રૂપ બનશે ત્યારે જાપ નહિ હોય. સાધક ભીતરની દુનિયામાં ખોવાઈ ગયેલો હશે.
પૂજ્ય દેવચન્દ્રજી મહારાજ વચનગુપ્તિની સજ્ઝાયમાં કહે છે :
અનુભવરસ આસ્વાદતાં,
કરતાં આતમ ધ્યાન;
વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન. ૩
અનુભવ રસને આસ્વાદી રહેલા અને પોતાની ભીતર ડૂબેલા, અનિદાન -આશંસા વગરના મુનિને માટે વચન તો અવરોધ રૂપ છે.
આગળની કડી કહે છે :
ભાષા પુદ્ગલ વર્ગણા, ગ્રહણ નિસર્ગ ઉપાધિ;
કરવા આતમ વીર્યને,
શાને પ્રેરે સાધ...પ
ભાષા વર્ગણાના પુદ્ગલોને પકડવા અને છોડવા માટે આત્મશક્તિનો ઉપયોગ સાધક શી રીતે કરી શકે ?
આત્મશકિતનો ઉપયોગ પોતાની ભીતર જવા માટે જ થઈ શકે ને!
મૌનના પ્રથમ પ્રકારમાં અન્તર્જલ્પ -અંદર થતો જાપ- થશે.
મંત્રનો જાપ. મંત્રના બે નિરુક્ત છે. પહેલો અર્થ આવો છે ઃ મનનાત્ ત્રાળા— મન્ત્ર:. મનન કરવાથી જે ૨ક્ષણ આપે છે તે મંત્ર બીજું નિરુક્ત આવું છે : મનનાત્ ત્રાયતે રૂતિ મન્ત્રઃ. જે વિચારોની કેદમાંથી સાધકને મુક્ત કરે તે મંત્ર.
Jain Education International
૧૬૨
For Personal & Private Use Only
www.jainelibrary.org