________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન
કાયોત્સર્ગાદિ સાધના વડે તેમની ઉર્જા કેવી પવિત્ર બનેલી, તેની એક મધુર ઘટના : તેઓ પ્રાણભાઈ દોશી, શશીકાંતભાઈ, ચંદ્રકાંતભાઈ આદિ સાથે બદ્રિ તરફ ગયેલા. જ્યાં પણ સંતો મળે ત્યાં જતા. એકવાર ખ્યાલ આવ્યો કે માર્ગથી થોડે દૂર રહેલી ગુફામાં એક દિવ્ય સંત છે. એ લોકો ત્યાં ગયા. હિંમતભાઈ સહુથી પાછળ હતા. બધા ગુફામાં પ્રવેશ્યા પછી જ્યાં હિંમતભાઈ ગુફામાં દાખલ થયા કે સંત ઊભા થઈ ગયા અને કહે : અરે, આપ યહાં ક્યાં પધારે? આપ તો મુઝસે ભી બડે સંત હૈ. તેઓ દાખલ થયા અને જે ઉર્જા મળી, સંતને ખ્યાલ આવી ગયો કે તેમની ઉર્જા બહુ જ પવિત્ર છે.
આ પવિત્રતા, શુદ્ધિની પાછળ રહેલ અહોભાવની ધારાને પણ જોઈએ. જ્યારે અમે લોકો પાલીતાણા ચાતુર્માસ હતા ત્યારે હિંમતભાઈ પણ ત્યાં હતા. ઉપાશ્રયે આવે ત્યારે દરેક મુનિવરોને વંદના કરી પછી તત્ત્વગોષ્ઠિ માટે બેસે.
એક વાર એમને ૯૦ કે એની આસપાસની ઓળી પૂરી થતી હતી અને લાગલી જ તે ઉપર બીજી ઓળી શરૂ કરવાના હતા. નવી ઓળી શરૂ કરવાના દિવસે થોડાક સાધર્મિકોને પોતાને ત્યાં આવ્યા. જમાડ્યા. અને કહ્યું : આપ એવા આશીર્વાદ આપો કે મારી ઓળીની આરાધના સરસ રીતે આગળ ચાલે !
કેવી નમ્રતા !
હિંમતભાઈ બેડાવાળાએ કાયમુનિ સિદ્ધ કરેલી. અભ્યાસથી અત્યારે સાધકો પણ કાયોત્સર્ગ-સાધનામાં આગળ વધી શકે.
૧૬૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org