________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ સ્થાન, મૌન, ધ્યાન
પરની પક્કડ આ કાર્ય કરે છે. તો પણ આપણું ગુરુત્વાકર્ષણ બિન્દુ સ્થિર રહેતું નથી. તે બિન્દુ બે પગ અને તેની વચ્ચેની જગ્યામાં સતત ઝૂલતું રહે છે. મગજ આપણા સર્વ સ્નાયુઓને સક્રિય રાખીને આપણને ટેકા વિના ઊભા રાખે છે, પણ તે તેના પર પૂરો કાબૂ ધરાવી શકતું નથી, એટલે જ તો ગુરુત્વાકર્ષણ બિંદુ ઘડિયાળના લોલકની માફક ઝૂલતું રહે છે; એને લીધે જ આપણે ઊભા ઊભા થાકી જઈએ છીએ.’’
“એક વાત વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ નોંધી છે કે આ ગુરુત્વાકર્ષણ બિંદુનું ઝૂલવું દરેક માણસમાં લગભગ એક સરખું જ રહ્યું છે અને તેનો માણસની ઊંચાઈ, વજન કે પગના માપ પર આધાર નથી. એનું કારણ સ્પષ્ટ છે, મગજ યાંત્રિક છે અને દરેક મનુષ્યમાં મુખ્યત્વે સરખું જ હોય છે. ફક્ત સ્મૃતિ અને તેને કારણે ઊભા કરેલ અહંકારને કારણે તે જુદું જુદું ભાસે છે. જુદાપણું સાવ ઉપરના સ્તરનું અને નગણ્ય છે.’”
બેઠેલી શરીરની મુદ્રા-આસિત મુદ્રા વિષે ‘કાયોત્સર્ગ ધ્યાન' કહે છેઃ “આસિત મુદ્રામાં સાધકે પદ્માસન, અર્ધ-પદ્માસન કે સુખાસનમાં કટાસણા પર કે આસન પર બેસવાનું હોય છે.
શરીરને શિથિલ તથા નિશ્ચલ રાખવાનું હોય છે. અને બન્ને હાથની હથેળીઓ બન્ને ઢીંચણ પર ખુલ્લી રાખવાની હોય છે. આ મુદ્રામાં સાધકે એવી રીતે બેસવાનું છે કે કેડ ઉપરના શરીરનો સઘળો ભાર બેઠક ઉપર સમતુલાએ રહે અને કરોડરજ્જુ તદ્દન ટટ્ટાર છતાં સરળ અને સ્વાભાવિક રહે.
તે સ્થિતિ ત્યારે જ સંભવિત છે કે જ્યારે અન્તર્મુખ થવાય અને શ્વાસોચ્છ્વાસના ગમનાગમન ઉપર અથવા નાભિચક્ર પર ધ્યાનમગ્ન થવાય. બેઠકની સમતુલા જાળવવી અતિકઠિન છે, કારણ કે બેઠકના
Jain Education International
૧૫૮
For Personal & Private Use Only
www.jainelibrary.org