________________
ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન કાયગુપ્તિનો મહિમા દર્શાવતાં પૂજ્યપાદ દેવચંદ્રજી મહારાજ કાયગુપ્તિની સઝાયમાં કહે છે : “ચંચળ ભાવ તે આશ્રવ મૂલ છે, જીવ અચલ અવિકારોજી.' તે કેટલું અદ્ભુત સાધના સૂત્ર ! ચંચળ ભાવ- કાયાના સ્તરે ચપળતા જ્યાં આવી, આશ્રવો ઊપજ્યા. આત્મસ્વરૂપ છે અચલ. અવિકાર.
તો, આશ્રવની ધારામાં સાધક શા માટે જાય ? આગળ મઝાની વાત કરે છે : આતમ વીર્ય ફુરે પરસંગ છે, તે કહીએ તનુયોગોજી; ચેતન સત્તા રે પરમ અયોગી છે, નિર્મલ સ્થિર ઉપયોગોજી'.
આત્મશક્તિ પરના સંગે સ્કુરાયમાણ થાય તે છે કાયયોગ અને સ્થિર ઉપયોગમાં - પોતાના સ્વરૂપમાં રહેવું તે ગુપ્તિ.
પછીની કડી આ રીતે ખૂલે છે : વીર્ય સહાયી રે આતમ ધર્મનો, અચલ સહજ અપ્રયાસોજી; તે પરભાવ સહાયી કિમ કરે, મુનિવર ગુણ આવાસોજી.”
વીર્ય-આત્મશક્તિ તો આત્મધર્મમાં જ સાધકને લઈ જાય. પરભાવ તરફ આત્મશક્તિ શી રીતે લઈ જઈ શકે?
સ્થાનનો મહિમા જોયો. હવે સ્થાનનું સ્વરૂપ. કઈ કઈ મુદ્રાએ કાયોત્સર્ગ થઈ શકે ? ત્રણે મુદ્રાઓ સ્વીકારાઈ છેઃ
૧૫૬
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org