________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ સ્થાન, મૌન, ધ્યાન
આ જ લયમાં સજ્ઝાયની પંક્તિઓ વહી છે : ‘મારું કાંઈ બળતું નથી જી, બળે બીજાનું રે એહ; પાડોશીની આગમાં જી, આપણો અળગો દેહ...'
દેહ-રાગથી ઉપર ઊઠવાની ઘટનાને તીવ્ર સમભાવ જોડે સંબંધ છે. દેહરાગ હોત તો, પોતાના દેખીતા કોઈ અપરાધ વિના મસ્તક પર આવા બળબળતા અંગારા નાખનાર પર કેવો તો દ્વેષ થાત !
દેહરાગ ન હોવાને કારણે દ્વેષ ન થયો. અનિત્યભાવના વડે ઉપર ઉઠાયું. ધ્યાનમાં જવાયું.
આનંદ જ આનંદ.
ભાવનાઓ - અનિત્યાદિ અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, વૈરાગ્ય આદિને ઘુંટીને ધ્યાનમાં જવાય છે એમ જ્યારે ‘ધ્યાન શતક' ગ્રંથ કહે છે ત્યારે એ ભાવનાને રન-વે (ઉડાણ માટેનો પથ) કહે છે અને ધ્યાન એટલે ચિદાકાશમાં ઉડ્ડયન.
વૈરાગ્યભાવનાની વાત કરતાં ધ્યાનશતક કહે છે :
सुविदियजगरसभावो,
निस्संगो निभओ निरासो य ।
वेगभावियमणो,
झामि सुनिच्चलो होइ ॥ ३४ ॥
જગતના સ્વભાવને સારી રીતે જાણી ચૂકેલો સાધક હોય. અને એને લીધે એ હોય નિસંગ.
અસંગ દશામાં જ પરમસંગ મળે ને ! તમે કોઈના સંગમાં નહિ, એટલે પરમના સંગમાં.
Jain Education International
૧૫૪
For Personal & Private Use Only
www.jainelibrary.org