________________
ધ્યાન અને કાયોત્સર્ગ સ્થાન, મૌન, થ્થર કરતા હતા ? અત્તકૃદશા સૂત્ર કહે છે : “પુતિદ્દી ફિયાય'. સ્મશાનમાં સામે દેખાતા એકાદ માટીના ઢેખાળા કે પથ્થર પર દૃષ્ટિ કેન્દ્રિત કરી તેઓ ધ્યાન કરતા હતા.
એવું માની શકાય કે પથ્થરના ટૂકડામાં પરમાણુઓની ચાલી રહેલી દોડાદોડને અનુભવી અનિત્ય ભાવનાને અવલંબી તેઓ ધ્યાનમાં ગયા હશે.
અને, ભીતરની આનંદથી ઝાકઝમાળ દુનિયામાં પીડા ક્યાં અને ઘટના ક્યાં ? ઘટના જ નથી તો ઘટનાઓની પ્રભાવિતતા ક્યાંથી ?
મઝાની કથા છે.
ગુરુએ શિષ્યને સાધના માટે નદીને કાંઠે બેસવાનું કહ્યું. સમયની અવધિ આપતાં ગુરુએ કહ્યું નદી પરનો પૂલ જ્યારે તને હાલતાં-ચાલતો લાગે અને નદીનું પાણી સ્થિર થઈ ગયેલું લાગે ત્યાં લગી તું સાધના ચાલુ રાખજે.
ઘણા દિવસોની સાધનાને અંતે આ પરિણામ મળ્યું. પૂલ એટલે પરમાણુઓનો ચાલતો જથ્થો એવું અનુભવાયું. અને નદીના સતત ચાલવાનો શો અર્થ? આ નિરર્થકતાના ભાનથી તેની દોડવાની ક્રિયામાંથી રસ ઉઠી ગયો. .
ગુરુએ, આ રીતે, શિષ્યને અનિત્યભાવનાની દીક્ષા આપી.
ગજસુકુમાલ મુનિ અનિત્યભાવનાને પકડી ધ્યાનમાં ગયા.
ધ્યાન : સ્વગુણસ્થિતિ. એવો તો પરમ આનંદ પ્રગટેલો કે દેહનું ભાન ભૂલાઈ ગયેલું. “ઢે ય પડિવો..”દેહને વિષે અપ્રતિબદ્ધતા.
૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org