________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
બહુ પ્યારી કડી અષ્ટપ્રવચન માતાની સઝાયની છે : વીર્ય ચપલ પરસંગમી રે,
એહ ન સાધક પક્ષ; જ્ઞાન ચરણ સહકારતા રે,
વરતાવે મુનિ દક્ષ. ૫ આત્મશક્તિ ચપળ હોય અને પરનો સંગ કરનાર હોય તે સાધકને ન ચાલે. મુનિ તો યોગોમાં વપરાતી આત્મશક્તિને જ્ઞાન અને ચારિત્ર આદિને પુષ્ટ બનાવવામાં વાપરે છે.
ધ્યાન : મનોગુપ્તિ. ધ્યાન : સ્વરૂપસ્થિતિ.
કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્રમાં મનોગુપ્તિને આ રીતે વ્યાખ્યાયિત કરી છે : विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् ।
आत्मारामं मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता ॥ ४१॥ વિકલ્પોના સમૂહને પેલે પાર રહેલ, સમત્વમાં સુપ્રતિષ્ઠિત, આત્મરમણ -શીલ મનને મનોગુપ્તિ કહેવાય છે.
આ મનોગુપ્તિનો શુદ્ધાત્મક લય.
આ લયમાં મન સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. ક્ષમા આદિ ગુણોની અનુભૂતિથી અસ્તિત્વ સભર બની ઉઠે છે.
૧૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org