________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
અહીં ચિત્તનનો છેદ ઉડે છે. અનુપ્રેક્ષાની સરહદ વટાવી અનુભૂતિની હદમાં પ્રવેશવાનું છે.
બૌદ્ધિક સાધકોએ એકવાર મને પૂછેલું. અમે ક્યાં અટકીએ છીએ? અમારી સાધના નિરંતર પ્રવહનશીલા કેમ નથી ?
મેં કહ્યું તમારી સાધના અનુપ્રેક્ષાએ અટકી ગઈ છે એ ન ચાલે..... અનુપ્રેક્ષા ઘણી કરી. અનુભૂતિ કેટલી ?
અનુપ્રેક્ષામાં મનોયોગની સહાય લેવાની. આ તો પરની જ સહાય થઈને? પૂ. દેવચંદ્રજી મહારાજ અષ્ટપ્રવચનમાતાની સક્ઝાયમાં કહે છે? યોગ તે પુગલ જોગ છે રે,
બાંધે અભિનવ કર્મ, યોગવર્તના કંપના રે,
નવિ એ આતમ ધર્મ. ૪ મનોયોગ... યોગનો અર્થ જોડાણ. અહીં મન મનોવર્ગણાના પુદ્ગલો સાથે જોડાઈ નવા કર્મો બાંધે છે.
યોગમાં વર્તવું એટલે કંપનનું ચાલ્યા કરવું. વિચારો એક પછી એક પ્રવેશ્યા કરે, ઘમસાણ મચાવ્યા કરે; આમાં આત્મધર્મ ક્યાં રહ્યો? આત્મધર્મ છે સ્થિરતા. .
એક પ્યારો શ્લોક યાદ આવે : स्वबुद्ध्या यावद् गृह्णीयात्, कायवाक्चेतसां त्रयम् । संसारस्तावदेतेषां, भेदाध्यासे तु निवृत्तिः ।।
મન, વચન, કાયાના યોગોને આત્મબુદ્ધિ વડે લેવાય ત્યાં સુધી સંસાર. એ યોગો સાથે ભેદાધ્યાસ થતાં જ મોક્ષ.
૧૪૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org