________________
ધ્યાન અને કાયોત્સર્ગ - ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
મનોગુણિના શુદ્ધ પ્રકારને વર્ણવતાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજ અષ્ટપ્રવચનમાતાની સક્ઝાયમાં કહે છે : પર સહાય ગુણ વર્તના રે,
વસ્તુ ધર્મ ન કહાય; સાધ્યરસી તે કિમ ગ્રહે રે,
સાધુ ચિત્ત સહાયો...૯ ધ્યાન એટલે સ્વગુણસ્થિતિ. હવે સ્વગુણોમાં જવા માટે શું પરની સહાય લેવી જોઈએ ?
શ્રુતનું આલમ્બન લઈને પોતાના ક્ષમાગુણ આદિનું ચિન્તન કરવાનું અને પછી ભીતર જવાનું. પ્રશ્ન અહીં એ થાય કે મારા ઘરમાં સ્વગુણમાં જવા માટે મારે પરની-વિચારની સહાય લેવાની ?
આપણે વિચાર કરીએ છીએ એ શું છે? મનોવર્ગણાના પુગલોને રી ફરીને લેવા તે.
આ જ સંદર્ભમાં પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે ચોથા સ્તવનમાં હ્યું: “જડ ચલે જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો” જડ અને સંચળ એવા આ પરમાણુઓની એંઠવાડને તું જમે? જમી શકે ?
માર્મિક પંક્તિ આવી ઉપર : “સાધ્યરસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાયો.” આત્મતત્ત્વના ઊંડાણમાં જેને ડૂબી જવું છે એવો સાધક ચિત્તની સહાય લઈને પોતાની ભીતર જાય ? આ તો દુશ્મનની સહાયથી પોતાનું !જ્ય મેળવવા જેવું થયું ને !
યોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ પૂજ્ય હેમચન્દ્રસૂરિ મહારાજે પણ આ જ સંદર્ભ ખોલ્યો છે :
, ૧૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org